આણંદ પાસે ગણેશ વિસર્જન માટે જઈ રહેલા ટેમ્પોની કાર સાથે ટક્કર.એકનું મોત -15 ઈજાગ્રસ્ત
ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના
આણંદ જિલ્લામાં સડક દુર્ઘટના
એકનું મોત-15 ઈજાગ્રસ્ત
ગણેશ વિસર્જન દરમિયાન આકસ્મિક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે, આણંદ જિલ્લામાં ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને ગમ્ખવાર અક્સમાત નડ્યો હોવાની માહિતી મળી છે. સારસાથી વાસદ તરફ જત્તા ટેમ્પો રીક્ષાની ટક્કર એક કાર સાથે થઇ હતી.આ દુર્ઘટનામાં 1 નું મોત થથું છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે
કેવી રીતે ઘટી દુર્ઘટના
આજે ગુજરાતભરમાં રંગે ચંગે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દરમિયાન વિસર્જન માટે સારસાથી વાસદ તરફ ચિખોદરાનો ટેમ્પો રીક્ષા જેમાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા.આ ટેમ્પોની ટક્કર એક કાર સાથે થઇ જવા પામી હતી,કાર અને ટેમ્પો રીક્ષાની ટક્કરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અને 15 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને 6 જેટલી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસ તપાસ શરુ
કાર અને ટેમ્પો વચ્ચે થયેલી દુર્ઘટનાની જાણ ખમ્ભોળજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.