સ્કોટલેન્ડના ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સીટીમાં થયેલ એક સ્ટડી અનુસાર રોજ એક્સરસાઇઝ કરવાથી કોરોનાનો 31 ટકા ખતરો ટળી જાય છે.
કોરોના વાયરસમાં આ કામથી થશે ફાયદો
સ્કોટલેન્ડની એક સ્ટડીમાં થયો ખુલાસો
31 ટકા ખતરો ટળી જાય છે
દુનિયાની પહેલી મોટી સ્ટડી
આ દુનિયાની પહેલી એવી સ્ટડી છે જે વર્ક આઉટ અને કોરોના વાયરસ ઇમ્યૂનીટિને જોડીને કરવામાં આવી છે. ડેઇલી વર્કઆઉટ આપણા શરીરને પીટ રાખે છે. જેનાથી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને કોરોના સામે લડવાની શક્તિ આપે છે.
રોજ કરો 30 મિનીટ વર્કઆઉટ
સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે એક દિવસમાં 30 મિનીટ અને અઠવાડીયામાં 5 દિવસ એટલે કે 150 મિનીટ સુધી એક્સરસાઇઝ કરવાથી શ્વાસ લેવામાં પ્રોબ્લમ થતી નથી. તેમાં વોક, રનિંગ, સાઇકલિંગ અને માંસપેશીઓને મજબૂત કરવાની એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવી છે.
40 ટકા વધુ અસરદાર બને છે વેક્સિનેશન
સ્ટડી અનુસાર રોજ એક્સરસાઇઝ કરતા શખ્સને જો કોરોના વેક્સિન આપવામાં આવે છે તો 40 ટકા સુધી વધારે અસરદાર બની જાય છે. જો એવુ હોય બિમારીનો ખતરો 31 ટકા અને મૃત્યુનો ખતરો 37 ટકા સુધી ઓછો થઇ જાય છે.
વેક્સિન પહેલા 12 અઠવાડીયા આ પ્રોગ્રામ જરુરી
ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સીટીના પ્રોફસરે કહ્યું કે, અમારુ રિસર્ચ કહે છે કે રેગ્યુલર ફિઝીકલ એક્ટિવીટી સંક્રામક બિમારીથી બચાવે છે. આ જ કારણ છે કે અમે વેક્સિન લેતા પહેલા 12 અઠવાડીયા રેગ્યુલર એેક્સરસાઇઝ કરવી જોઇએ.
ડ્રાય માઉથ કોરોનાના લક્ષણ
ઓટોઇમ્યૂન બિમારી હવે કોવિડ-19ના સંક્રમણનું લક્ષણ બની ગયુ છે. મોઢુ સુકાવાનો મતલબ છે કે તમારા મોઢામાં લાળનું ઉત્પાદન ન થાય તો તેને નજરઅંદાજ ન કરશો.
મોઢામાંથી વાસ આવવી
મોઢુ સુકાવવાની જગ્યાએ માત્ર બોલવામાં અને ખાવામાં જ નહી પરંતુ ઘણી વાસ શ્વાસમાં પણ તકલીફ થાય છે. એટલા માટે મોઢામાંથી વાસ આવે છે. જો તમારા મોઢામાં વાસ આવે તો ડૉક્ટર પાસે જાઓ.
લક્ષણો બદલાયા છે
2020માં કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેના લક્ષણ શરદી, ખાંસી, તાવ વગેરે હતા પરંતુ હવે નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. જેનાથી તમને ખબર પડશે કે તમને કોરોના થયો છે કે નહી અને તપાસ કરાવવી જોઇએ કે નહી.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.