મુંબઈ: મુંબઈમાં હજુ એલ્ફિનસ્ટન રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ પર ધક્કામુક્કાની ઘટના હજુ તાજી જ છે. ત્યાં ચર્ની રોડ સ્ટેશન પરના ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે.
દુર્ઘટનામાં એક વૃદ્ધને ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે જીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ ડોંગરસિંહ જ્યારે સીડી ચઢી રહ્યા હતા.
તે સમયે જ બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેમાં તે ઘાયલ થયા છે. એલ્ફિન્સટન સ્ટેશન પર થયેલી દુર્ઘટનાથી પણ રેલવે વિભાગે કોઈ શીખ મેળવી નથી.