અમદાવાદ મનપાની બેદરકારીની પોલ ઉઘાડી પડી છે. જેમાં વિરાટનગરમાં છેલ્લા બે મહિનાથી ચાલતી પ્રી-મોન્સુનની કામગીરી આજે પણ પૂરી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે.
અમદાવાદ મનપાની બેદરકારીની પોલ સામે આવી
વિરાટનગરમાં છેલ્લા બે મહિનાથી ચાલે છે પ્રી-મોન્સુન કામગીરી
કેટલાક વિસ્તારમાં હજી સુધી કામગીરી ચાલુ નથી થઇ
અમદાવાદમાં વરસાદ પહેલા મનપા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવે છે પરંતુ અમદાવાદના વિરાટનગરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પ્રી-મોન્સુન કામગીરી હજુ પણ ચાલી રહી છે. એકબાજુનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેને કારણે અનેક અકસ્માતોની ઘટના પણ સામે આવી છે. તંત્ર દ્વારા સમયસર કામગીરી પૂર્ણ ન કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરોને અનેક રજુઆતો છતાં ધ્યાન ન અપાતું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
વિરાટનગરમાં હજી સુધી રગડધગડ ચાલી રહી છે પ્રી-મોન્સુન
બેદરકારીને લઈને અમદાવાદ મહાનગરપાલિકા અનેક વખત ચર્ચાના ચકડોળે ચડે છે. ત્યારે અડધું ચોમાસુ વીતી જવા છતાં હજુ પણ અમદાવાદમાં પ્રિમોન્સુન કામગીરી રગડધગડ ચાલતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વિરાટનગરમાં બે મહિનાથી પ્રી-મોન્સુનની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહિ કેટલાક વિસ્તારમાં હજી સુધી પ્રી-મોન્સુન કામગીરી ચાલુ ન થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આથી કંટાળી ગયેલા લોકોએ કોર્પોરેટરને રજૂઆત કરી છતાં કોઇ ફરક્યું ન હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે.
કોર્પોરેટરને રજૂઆત કરી છતાં કોઇ આવ્યું નહીઃ સ્થાનિકો
વિરાટનગરમાં પ્રી-મોન્સુન કામગીરીના નામે એકબાજુનો રોડ બંધ કરી દેવામા આવ્યો છે. જેને લઈને અવારનવાર અકસ્માનની નાની મોટી ઘટના સામે આવી રહી છે. તંત્ર દ્વારા સમયસર કામગીરી પૂર્ણ ન કરાતા લોકોને સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને ઘરની બહાર નિકળતા પહેલા સો વખતવિચારવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું લોકો જણાવી રહ્યા છે.15 દિવસ અગાઉ કામ અધૂરી મૂકીને મજૂરો જતાં રાહયા બાદ કામના નરીક્ષણ માટે જવાબદારો ડોકાયા નથી. આ અંગે અનેક રજૂઆતો છતા સમસ્યા ઉકેલવાની વાત તો દુર રાહ પરંતુ ચૂંટાયેલા નેતાઑ કે જવાબદાર અધિકારીઑ ન આવતા લોકોમા વિરોધનો મધપુડો છંછેડાયો છે.