ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 25 જૂન 1975 એક કાળી તારીખ છે. આ દિવસે તત્કાલિન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીના કહેવા પર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી. આજે 45 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે એક પરિવારના સત્તાના લોભથી ઇમરજન્સી લગાવામાં આવી હતી. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભારત એ મહાનુભાવોને નમન કરે છે જેમણે આ ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
એક પરિવારના સત્તાના લોભથી ઇમરજન્સી લગાવાઇ હતી
ઇમરજન્સી તો હટી પણ કોંગ્રેસમાં લોકશાહી ગેરહાજર રહી
કોંગ્રેસ પર નિશાન તાંકતા અમિત શાહે કહ્યું છે કે 45 વર્ષ પહેલા આ દિવસે સત્તા માટે એક પરિવારના લોભના કારણે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી. રાતો રાત રાષ્ટ્રને જેલમાં બદલી નાંખી. પ્રેસ, કોર્ટ, ભાષણ બધુ બંધ કરી દેવામાં આવ્યું.
On this day, 45 years ago one family’s greed for power led to the imposition of the Emergency. Overnight the nation was turned into a prison. The press, courts, free speech...all were trampled over. Atrocities were committed on the poor and downtrodden.
ગરીબ અને દલિત પર અત્યાચાર કરવામાં આવ્યાં. લાખો લોકોના પ્રયત્ન બાદ કટોકટી દૂર કરવામાં આવી હતી. ભારતમાં લોકશાહી ફરી પાટા પર આવી હતી પરંતુ આ કોંગ્રેસમાં ગેરહાજર રહી. એક પરિવારનું હિત પાર્ટીના હિત અને રાષ્ટ્રીય હિત કરતાં ઉપર હતું. આ ખેદજનક સ્થિતિ આજે પણ કોંગ્રેસમાં જોવા મળી રહી છે.
Due to efforts of lakhs of people, the Emergency was lifted. Democracy was restored in India but it remained absent in the Congress. The interests of one family prevailed over party interests and national interests. This sorry state of affairs thrives in today’s Congress too!
ભાજપ તરફથી ગુરુવારના રોજ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેનું ટાઇટલ છે - 25 જૂન 1975, કટોકટી લોકશાહીનો કાળો અધ્યાય. ભાજપે એક વધુ ટ્વિટ કરતાં લખ્યું, કોંગ્રેસના કાળા કરતૂત અને ભારતીય લોકશાહીનો સૌથી દુઃખદ અધ્યાય 25 જૂન 1975 ઇમરજન્સીના વિરોધમાં ઉઠેલા સ્વરને હૃદયથી વંદન.