પાટણના સમી તાલુકાના ગુર્જરવાડમાં એક જ પરિવારના 5 લોકોના મોતની ઘટના સામે આવી છે. ખાળકુવાનો પથ્થર ખસી જતા મહિલા કુવામાં ખબકી હતી. આ મહિલાને બચાવવા જતા અન્ય 4 લોકોના મોત થયા હતા.
ખારકુવાનો પથ્થર ખસી જતા મહિલા કુવામાં ખબકી હતી
મહિલાને બચાવવા જતા 4 યુવકોના થયા મોત
તમામ સભ્ય એક જ પરિવારના
સમી તાલુકાના ગુર્જરવાડમાં ખાળકુવાનો પથ્થર ખસી જતા મહિલા કુવામાં ખાબકી હતી. તેને બચાવવા માટે એક બાદ એક ચાર લોકોએ કુવામાં ઝંપલાવ્યું હતું. આ દરમિયાન એક મહિલા સહિત બચાવવા જતા 4 યુવકોના મોત થયા છે. મહત્વનું છે કે, આ તમામ સભ્ય એક જ પરિવારના છે.
આ ઘટનાના પગલે ગુર્જરવાડમાં ચકચાર મચી જવા પામી હતી. આસપાસના વિસ્તારોના લોકોના ટોળા ઉમટ્યાં હતા. સમીના મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.