રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. એક જ પરિવારના ચાર લોકોના અકસ્માતમાં મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહારાષ્ટ્રનો પરિવાર નર્મદા, કુબેરભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનમાં ચાર લોકોના મોતને પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓનો વિશાલ ખાડી પાસે નડ્યો અકસ્માત
ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 ના મોત
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
નર્મદાના કુબેરભંડારીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો છે. મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને વિશાલ ખાડી પાસે અકસ્માત નડ્યો છે.
એકજ પરિવારના ચારના મોત
એકજ પરિવારના ચાર લોકોના મોતને પગલે પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. મહરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ભગવાન કુબેરભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.
પોલીસે શરૂ કરી તપાસ
આ ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતનો ગુનો નોંધીને પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. મૃતદેહોનો તપાસ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.