કાળ ક્યારે કોને ક્યાં બોલાવે તે કાંઈ નિશ્ચીત નથી હોતુ આવુ જ કંઈક ભરૂચના કહાનવા ગામેથી રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા યુવાનના મામલામાં બન્યુ છે. આ યુવાન રસ્તે ચાલ્યો જતો હતો અને કાળ બનીને એક મકાન તેની ઉપર તુટી પડ્યુ હતુ જેના કાટમાળમાં યુવાનનું દટાઈ જવાથી મોત થયુ છે. આ ખબર આસપાસમાં ફેલાઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
મકાન ધરશાયી થતા 25 વર્ષીય યુવકનું મોત
રસ્તે જતો યુવક દટાયો હતો
ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો
ભરૂચના કહાનવા ગામે વધુ એક મકાન ધરાશાયી થયો છે.મકાન ધરાશાયી થતા 25 વર્ષીય યુવકનું મોત થયું છે.રસ્તે જતા સમયે મકાન ધરાશાયી થતા યુવક છત નિચે દટાયો હતો. જે બાદ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયો હતો. તો આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે
ફાયર વિભાગે બહાર કાઢ્યો મૃતદેહ
ભરૂચમાં જંબુસરના કહાનવા ગામે મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી હતી જેમાં 25 વર્ષીય યુવકનું મોત થયુ છે. રસ્તે જતો યુવક કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથધરી છે.