ફોની વાવઝોડાને લઇને હાલ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. સીએમ પટનાયકે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.
બંગાળીની ખાડીમાંથી ઊઠેલું 'ફોની' પ્રચંડ રૂપથી ઓડિશા કિનારે પહોંચી ગયું છે. ઓડિશામાં હાલ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ફોની વાવાઝોડાને લઇને આશરે 10 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 6 વ્યક્તિનાં મોત થયા છે.
બીજી બાજુ ચક્રવાતની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. અંહી ચંદૌલીમાં ચક્રવાતના કારણે 4 લોકોના મોત થયા છે. આ માહિતી યુપી સીએમઓના ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી છે. જ્યારે ઓરિસ્સામાં પણ 2 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.
હૈદરાબાદના હવામાન વિભાગ પ્રમાણે પુરીમાં 245 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી રહી હતી તો હવાની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક થઇ ગઇ છે. સીએમ પટનાયકે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. નૌસેનાએ રાહત માટે પોતાના કર્મીઓને તૈનાત કર્યા છે. વાવાઝોડાના પગલે શ્રીકાકુલમમાં 20 મકાનો ધરાશયી થયા છે. જ્યારે ભુવનેશ્વરમાં ઘણી જગ્યાએ ઝાડ પડ્યા છે.
ઓડિશા તટ પર વાવાઝોડું ટકરાતાં જ દરિયો ગાંડોતૂર થયો છે તો બીજી બાજુ કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. વાવાઝોડાના કારણે વીજળી ગુલ થવાના પણ બનાવો સામે આવ્યા છે. વાવાઝોડના કારણે મોબાઈલ નેટવર્ક પણ ખોરવાયું છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખતા 223 જેટલી ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ સાવચેતીના પગલાને લઇને NDRF અને આર્મી પણ તૈનાત કરવામાં આવી છે.
Odisha:Chief Secretary Aditya prasad padhi now holding a high level review meeting at Bhubaneswar after landfall of #CycloneFani in puri.
▪️In Sakhigopal area of Puri a person died due to uproot of trees.
— All India Radio News (@airnewsalerts) May 3, 2019
વાવાઝોડાને પગલે ગુજરાતની NDRFની 6 ટીમ 18 બોટ સાથે ઓડિશા જશે. જ્યાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરશે. જો કે ફેની વાવાઝોડાની તબાહીને ધ્યાનમાં લઇને ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે.
જો કે એક અનુમાન મુજબ આ તોફાનની ચપેટમાં 10 હજાર ગામડા અને અંદાજે 52 શહેર આવી શકે છે. જો કે આ ફેની વાવાઝોડું પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તમિલનાડૂને પ્રભાવિત કરવાની આશંકા છે. જો કે સૌથી વધારે પ્રભાવ ઓડિશામાં જોવા મળશે.