ચીન હાલમાં જ કોરોના વાયરસના કહેરથી બહાર આવ્યું છે ત્યારે હવે હંતા વાયરસનો ડર સ્થાનિકોને પરેશાન કરી રહ્યો છે. હાલમાં જ ન્યૂઝ આવ્યા છે કે ચીનમાં હંતા વાયરસના કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. કોરોનાથી ડર્યા બાદ હવે લોકો હંતાથી પણ ડરી રહ્યા છે. જાણો કઈ રીતે ફેલાય છે આ વાયરસ અને શું છે તેના લક્ષણો.
ચીનમાં ફેલાયો હંતા વાયરસ
હંતા વાયરસના કારણે ચીનમાં થયું પહેલું મોત
લોકોના મનમાં ફેલાઈ રહ્યો છે હંતા વાયરસનો ડર
આ છે હંતા વાયરસના લક્ષણ
હંતા વાયરસથી ચેપગ્રસ્ત લોકોને તાવ, થાક, સ્નાયુઓમાં દુખાવો થાય છે. આ પીડા ખાસ કરીને જાંઘ-હિપ, પીઠ અને ખભામાં વધુ જોવા મળે છે. આ સિવાય માથાનો દુખાવો, ચક્કર આવવા, શરદી થવી, પેટમાં દુખાવો, ઉલટી થવી અને ઝાડા પણ આ વાયરસના ચેપમાં સામેલ છે. જો આ વાયરસને ઓળખવામાં વિલંબ થાય છે, તો તે ચેપગ્રસ્ત દર્દીના ફેફસામાં તરલ પદાર્થ ભરવાનું શરૂ કરે છે અને ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
શું છે હંતા વાયરસ?
વિશેષજ્ઞોની જાણકારી મુજબ કોરોના વાયરની જેમ હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાની વિરુદ્ધ આ હવા દ્વારા ફેલાતો નથી. આ ઉંદર અને ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સેંટર ફોર ડિજિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ ઉંદરોનો ઘરની અંદર અને બહાર રહેવાથી હંતા વાયરસના સંક્રમિતનો ખતરો છે. એટલું જ નહીં પણ જો કોઇ સ્વસ્થ વ્યક્તિ છે અને તે હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેને સંક્રમિત હોવાનો ખતરો રહે છે.
જો કે હંતા વાયર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જતો નથી, પરંતુ જો કોઇ વ્યક્તિ ઉંદરના મળ, પેશાબ વગેરેને જો અડી જાય અને ત્યારબાદ પોતાની આંક, નાક અને મોઢૂં (મોં) ને અડે છે તો હંતા વાયરસ સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે.
શું છે હંતા વાયરસનો ઇલાજ?
હંતા વાયરસ જીવલેણ પણ સાબિત થઇ શકે છે. હજી સુધી આ વાયરસનો કોઇ સ્પષ્ટ ઇલાજ શક્ય નથી. માત્ર મેડિકલ દેખભાળ અને ICU દ્વારા દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ઓક્સિજન સિલિન્ડરના માધ્યમ થકી દર્દીને શ્વાસ લેવામાં મદદ કરી શકાય છે. આ રોગના ચેપથી બચવાનો એકમાત્ર ઉપાય છે તાવ અને થાક લાગેવ વ્યક્તિથી અને ઉંદરથી દૂર રહેવું.
હંતા વાયરસથી બચવાનો શું છે ઇલાજ ?
હંતા વાયરસથી બચવાનો સૌથી સરળ ઇલાજ છે ઘર અને ઓફિસમાં ઉંદર ન પહોંચે. ઘરમાં સતત ધ્યાન રાખતા રહેવું કે ઉંદર પ્રવેશે નહીં. ઉંદર અને ગરોળીથી સતત દૂર રહેવાનો આગ્રહ રાખવો.