સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું.
સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું. ભારતના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર દિવંગત ગણમાન્ય વ્યક્તિના સન્માનમાં ભારત સરકારે નિર્ણય લીધો છે કે, કાલ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે.
United Arab Emirates' President Sheikh Khalifa bin Zayed Al-Nahyan died on Friday. As a mark of respect to the departed dignitary, the GoI has decided that there will be one day’s state mourning tomorrow throughout India: MHA pic.twitter.com/oG1wNtccvK
તો વળી આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહ્યાનના નિધન પર શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ખૂબ સમૃદ્ધ થયા. નાહ્યાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા ત્રણ નવેમ્બર 2004ના રોજ યુએઈના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક તરીકે સેવાઓ આપી રહ્યા હતા.