ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી યોજાયા બાદ આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠક મળશે. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે.
આજે મળશે વિધાનસભાનું એક દિવસીય સત્ર
એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળશે
પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે વિધાનસભામાં સંબોધન
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદમાં ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસસભામાં તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. ગઈકાલે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદમાં હવે આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે.
વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે
વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની શરૂઆત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરશે, ત્યારબાદ બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને રજૂ કરવામાં આવશે.
રાજ્યપાલ કરશે સંબોધન
એક દિવસીય સત્ર દરમિયાન 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. જે બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભામાં સંબોધન કરશે. બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે. જે બાદ વિધાનસભામાં ઈમ્પેક્ટ ફીનું બીલ પણ રજૂ કરવામાં આવશે.
શંકર ચૌધરીએ પ્રાથમિક સભ્યે પદથી આપ્યું હતું રાજીનામું
આપને જણાવી દઈએ કે, ગતરોજ થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. સી.આર પાટીલ, ભારતીબેન શિયાળની હાજરીમાં તેમણે રાજીનામું આપ્યું હતું. શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.