અમેરિકામાં કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછા 11 ભારતીયોના મોત થયા છે. ત્યારે 16 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14 હજાર કરતા પણ વધારે લોકોના મોત નિપજ્યા છે. 4 લાખ કરતા વધારે કોરનાગ્રસ્ત છે. અમેરિકામાં એક દિવસમાં 1931 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 34387 નવા કેસ નોંધાયા છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં14,788 લોકોના મોત નિપજ્યા છે તો 434,927 નવા કેસ નોંધાયા છે. જ્યારે સાજા થનારાની સંખ્યા 22,891 છે. અહીં 397,248 એક્ટિવ કેસ છે. જે રીતે અમેરિકામાં મોત થઈ રહ્યા છે. તેને જોતા એવુ લાગી રહ્યું છે કે વિશ્વમાં સૌથી વધારે મોતનો આંકડો ધરાવનાર ઈટલીના આંકડાને અમેરિકા 48 કલાકમાં પાર કરી જશે. ઉલ્લેખનીય છે કે ઈટલીમાં હાલ 17,669 મોત નિપજ્યા છે. જ્યારે મૃત્યુ આંકમાં બીજા નંબરે આવતા સ્પેનમાં 14,792 લોકોના મોત નિપજ્યા છે. નોંધનીય છે કે અમેરિતાનો મૃત્યુદર 45 છે.
અમેરિકામાં ભારતીયોની સ્થિતિ કંઈક આવી છે
અમેરિકામાં પણ મરનારાઓમાં પુરુષો જ છે મહિલાઓ એક પણ નથી. આ લોકો ન્યૂયોર્ક, ન્યૂ જર્સી વિસ્તાર અને ફ્લોરિકાથી છે. જેમાંથી 4 લોકો ન્યૂયોર્કમાં ટેક્સી ચલાવે છે. ન્યૂયોર્ક શહેરમાં કોરોના વાયરસના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. અહીં અત્યાર સુધીમાં 6 હજારથી વધારે લોકોના મોત નિપજ્યા છે. ત્યારે સંક્રમણના 138000 થી વધારે કેસ સામે આવ્યા છે.
ન્યૂજર્સીમાં 1500 લોકોના મોત થયા છે તો લગભગ 48 હજાર સંક્રમિત છે. ફ્લોરિડામાં વાયરસથી એક ભારતીયનું મોત થયું છે. કેલિફોનિયા અને ટેક્સાસ રાજ્યોમાં કેટલાક અન્ય ભારતીય મૂળના લોકોની શોધખોળ ચાલુ છે.16 ભારતીય દર્દીઓમાં 4 મહિલાઓ પણ છે. આ તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
દર્દીઓમાં 8 ન્યૂયોર્ક 3, ન્યૂજર્સી, બાકીના ટેક્સાસ અને કેલિફોનિયા જેવા રાજ્યોમાંથી છે. સંક્રમિત લોકો ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના રહેવાથી છે. ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ સ્થાનીક અધિકારીઓ તથા ભારતીય- અમેરિકન સંગઠનોની સાથે મળીને કામ કરી રહ્યા છે. જેથી કોરોના ગ્રસ્ત ભારતીઓને જરુરી મદદ કરી શકાય.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વાયરસને રોકવા પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નિયમોના કારણે સ્થાનીક શહેરના કારણે મૃતકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. કોરોનાને કારણે તેમના પરિવારને અંતિમ સંસ્કારની પરવાનગી આપવામાં નથી આવી રહી.
અમેરિકામાં લોકો શું માને છે
CNAN SSRSના માધ્યમથી દેશભરમાં આ સરવે કરવામાં આવ્યો હતો.જેમાં એવુ બહાર આવ્યું હતું કે કોરોનાને પગલે અમેરિકામાં મોટી સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર પર ભરોસો ઘટ્યો છે. 55% અમેરિકનો એવુ માને છે કે સરકાર કોરોનાને રોકવાની દિશામાં યોગ્ય કામ નથી કરી રહી. 80 ટકા લોકો માને છે કોરોનાથી દેશની હાલત બહું ખરાબ છે. 37 લોકો ખૂબ ચિંતામાં ગરકાવ થયા છે. તો માત્ર 5ટકાને કોરોનાનો ડર નથી. અમેરિકામાં દર 5માંથી એક વ્યક્તિ એટલે કે 22 ટકાનું કહેવું છે કે તેમના કોઇ ને કોઇ ઓળખીતા કોરોના પોઝિટિવ છે.
ટ્રમ્પે WHO પર સવાલ ઉઠાવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે,‘WHOએ 14 જાન્યુઆરીએ એક નિવેદન આપ્યું હતું કે ‘માણસથી માણસમાં સંક્રમણ નહોતુ.જ્યારે કે ત્યા એવુ હતુ. તેમણે મારી કડક શબ્દોમાં સમીક્ષા કરી હતી જ્યારે મે એમ કહ્યું કે ચીનથી આવનારી ફ્લાઈટો અમે બંધ કરવા જઈ રહ્યા છીએ. ઘણી બાબતોમાં તેઓ ખોટા હતા.’
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમે WHO પર થનારા ખર્ચની રકમને રોકી રહ્યા છીએ.’ટ્રમ્પ પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ કામ કરનારી એજન્સીઓ પર નિશાન સાધી ચૂક્યા છે. જોકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ પ્રકારની કોઈ માહિતી આપી નહોતી. WHO પર થનારા ખર્ચમાંથી કેટલા રુપિયા અટકાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે,‘હું એમ નથી કહી રહ્યો કે હું આ કરવા જઈ રહ્યો છું.’તેમણે કહ્યું કે ‘અમે ફંડીંગ રોકવા પર વિચાર કરશું. ’ ટ્રમ્પના જણાવ્યાનુસાર WHO‘ચીન તરફ બહું પક્ષપાતી જણાઈ રહ્યું છે. જે યોગ્ય નથી.’
ટ્રમ્પે ભારતનો આ ભાર માન્યો
કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થનારી હાઈડ્રોક્સીક્લોરોક્વીનના સપ્લાય પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો આભાર માન્યો છે. એક ટ્વીટ કરી ટ્રમ્પે કહ્યું છે કે મુશ્કેલી ભર્યા સમયે મિત્રોની વચ્ચે સહકારની જરુર પડે છે. હાઈડ્રોક્સીક્લોકોક્વીન પર નિર્ણય લેવા પર ભારત અને ભારતીયોનો આભાર માનું છુ. અમે આ ક્યારેય નહીં ભૂલી શકીએ. આ સહકાર માટે પીએમ મોદીનો આભાર.