જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ કરેલા હુમલામાં એક જવાન શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો
ચેકપોસ્ટ પર ચેકિંગ વખતે સુરક્ષાદળો પર થયો હુમલો
હુમલામાં ASI વિનોદ કુમારને પહોંચી ગંભીર ઈજા
હોસ્પિટલમાં સારવાર વખતે થયું મોત
કાયર આતંકીઓેએ સફરજનની વાડીમાં છુપાઈને કર્યો એટેક
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રવિવારે આતંકીઓ ત્રાટક્યા હતા અને નાકા પર ચેકિંગ કરી રહેલા જવાનો પર હુમલો કર્યો હતો જેમાં એએસઆઈ વિનોદ કુમાર શહીદ થયા હતા. સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનો નાકા પર ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે સફરજનની વાડીમાં છુપાયેલા આતંકીઓએ ધડાધડ ગોળીબાર કર્યો હતો જેમાં વિનોદ કુમારને ગંભીર ઈજા પહોંચી હતી, આથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં તેમનું મોત થયું હતું. તેમની શહીદીને પગલે આર્મી અને લોકોમાં શોકની લાગણી વ્યાપી છે.
One CRPF personnel succumbed to his injuries after terrorists attacked police and CRPF personnel in the Gangoo area of Pulwama today. Area cordoned off. Search in progress: Jammu and Kashmir Police
આતંકીઓએ સફરજનના બગીચામાંથી ગોળીબાર કર્યો
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ ક્રોસિંગ પાસે સફરજનના બગીચામાંથી ગોળીબાર કર્યો હતો, જે દરમિયાન સીઆરપીએફના એએસઆઇ વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
આતંકીઓની શોધખોળ
આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રવિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગોંગુ ક્રોસિંગ પાસે સર્ક્યુલર રોડ પર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ ચેકિંગમાં લાગી હતી.