હરિયાળું ગુજરાત બનાવવા, ગરમીમાં રાહત મેળવા અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં 1 કરોડ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક આપ્યો છે.
પર્યાવરણને પ્રદુષણથી બચાવવા શિક્ષણ તંત્ર(Education Department) હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને પરિપત્ર જારી કર્યો છે. એક બાળ એક ઝાડ અભિયાનનો પરિપત્ર જારી કર્યો છે. જેમાં રાજ્યમાં એક કરોડ ઝાડ વાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને 15 ઓગસ્ટે લક્ષ્યાંકને પાર પાડવા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે.
આંગણવાડી, શાળા-કોલેજોની જમીનમાં વૃક્ષ વાવવા માટે સુચન કરવામાં આવ્યું છે. તો શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. વૃક્ષારોપણની જવાબદારી શિક્ષકોને સોપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન મહોત્સવ દરમિયાન જણાવ્યું હતું કે, વૃક્ષોનો ઉછેર અને નદીઓની જાળવણી માટેનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વૃક્ષો વવાય અને જળવાય તે માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવનાર છે. વધુમાં તેમણે, વન મહોત્સવ દરમિયાન સૌથી વધુ વૃક્ષો વાવીને રાજ્યભરમાં ગ્રીન કરવ વધારવાનું જણાવ્યું હતું.
ત્યારે હવે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને પરિપત્ર જારી કર્યો છે. જેમાં એક બાળ એક ઝાડ અભિયાનની શરૂઆત કરવા જણાવવામાં આવ્યું છે. જેને લઇને શિક્ષકોને વધુ એક જવાબદારી મળી છે.