અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે અમદાવાદમાં એક કરોડ (૧૦ મિલિયન) લોકો મારું સ્વાગત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસને લઇ ખૂબ ઉત્સાહિત છે. તેમનો ઉત્સાહ તેમના નિવેદન પરથી સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. જાણો તેણે શું કહ્યું...
હું હવે બિટલ્સ જેવો પોપ્યુલર થઇ ગયો છું ટ્રમ્પ
ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા વધી રહી છે
ભાજપના સમર્થકોને ટ્રમ્પના કામકાજ પર વધુ વિશ્વાસ છે
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના કોલોરાડોમાં એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે અમદાવાદમાં ૧૦ મિલિયન (એક કરોડ) લોકો સ્ટેડિયમ સુધી મારા સ્વાગત માટે ઊભા હશે. આ સંખ્યા ૬ થી ૧૦ મિલિયન સુધી હોઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમદાવાદમાં એટલી ભીડ આવશે માનો કે જાણે હું હવે બિટલ્સ જેવો પોપ્યુલર થઇ ગયો છું. આટલી ભીડથી સ્ટેડિયમ તો ફુલ થઇ શકે અને લોકોને પણ બહાર ઊભા રહેવું પડશે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સ્વાગત માટે પ૦ લાખ અને ત્યારબાદ ૭૦ લાખ લોકો આવશે એવો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે અમેરિકામાં નરેન્દ્ર મોદીના સન્માનમાં હાઉડી મોદીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પણ પ૦,૦૦૦ લોકો સામેલ થયા હતા, જે અમેરિકામાં યોજાનારી કોઇ પણ રેલીથી સૌથી મોટી સંખ્યા હતી.
ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા પર એક ગ્લોબલ એિટટ્યૂડ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે પરથી એવું બહાર આવ્યું છે કે ભારતમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ તેમની કેટલીક નીતિઓ અને બિઝનેસને લઇ તેમનું વલણ લોકોને પસંદ નથી.
કોંગ્રેસ કરતાં ભાજપના સમર્થકોને ટ્રમ્પના કામકાજ પર વધુ વિશ્વાસ છે. પીયુ રિસર્ચના સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં ર૪૭૬ લોકોને આવરી લેવાયા હતા. આ સર્વે પરથી એવું બહાર આવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા ૧૪ ટકાથી વધીને પ૬ ટકા પર પહોંચી ગઇ છે.