રાજકોટમાં બીગ બજાર પાસે એક કોમ્પ્લેક્સના ઇલેક્ટ્રીક રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે આગમાં દાઝી જતા એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
રાજકોટમાં આગમાં દાઝી જતા બે બાળકના મોત
સમર્થ કોમ્પલેક્સના રૂમમાં લાગી હતી આગ
નેપાળી પરિવાર આ ઇલેક્ટ્રિક રૂમમાં રહેતો હતો
રાજકોટના સમર્થ કોમ્પ્લેક્સમાં આગ લાગતા બે બાળકો દાઝી ગયા હતા. જેમાં નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. આ આગમાં બાળકી 95 ટકા દાઝી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. એપાર્ટમેન્ટના લોકો દ્વારા આ નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવા માટે જગ્યા આપી હતી. આ રૂમમાં આગ લાગતા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકો નાસી ગયા છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
પિતાએ રૂમને કર્યો હતો લોક
મૃતક બાળકોના પિતાએ જણાવ્યું હતું કે, તેને બહાર કામ હોવાથી તે બંને બાળકોને રૂમમાં રાખીને લોક કરીને ગયો હતો. પત્ની થોડી વારમાં ઘરે આવવાની હતી એટલે લોક માર્યું હતું.
મહત્વનું છે કે, આ કોમ્પ્લેક્સન રૂમમાં આગ લાગતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.