ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ઉશ્કેરાયું છે. ત્યારથી સતત પાકિસ્તાન અવાર નવાર સીઝફાયરનો ભંગ કરે છે તો ક્યારેક ભારે તોપમારો પણ કરે છે. ત્યારે આજે પણ પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ નજીક નૌશેરામાં ફાયરિંગ કર્યુ છે. તો ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
એટલું જ નહીં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાનનાં બેઝને તબાહ કર્યો છે. ભારતીય સેનાએ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની બેઝનો ખુરદો બોલાવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ભારતીય સેનાએ તોડી પાડેલું પાકિસ્તાની બેઝ નજરે પડી રહ્યું છે. જેને ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યુ છે. એટલું જ જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાની બેઝ તોડી પાડ્યો છે ત્યાં પાકિસ્તાનનો ઝંડો પણ નજરે પડી રહ્યો છે.
શનિવારનાં સાંજનાં અંદાજે પાંચ વાગે પાકિસ્તાન તરફથી પુંછ સેક્ટરમાં શરૂ કરવામાં આવેલ ગોળીબારી હજી સુધી શરૂ છે. ત્યારે નૌશેરામાં પણ રવિવારનાં બપોરથી જ ગોળીબાર શરૂ છે. ભારતીય સેનાનાં જવાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહેલ છે.
એવામાં એક જવાનનાં શહીદ થવાંની ખબર મળી છે. શહીદ જવાનની ઓળખ હરિ વાકર, નિવાસી રાજસ્થાનનાં રૂપમાં થઇ છે. હરિ ગોળીબારી દરમ્યાન ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયાં હતાં. તેઓને સેનાની હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યાં, જ્યાં તેઓનો જીવ ચાલ્યો ગયો.
Jammu and Kashmir: One Army jawan has lost his life in ceasefire violation by Pakistan in Poonch sector, today. More details awaited. pic.twitter.com/q4q2DL189N
તમને જણાવી દઇએ કે શનિવારનાં રોજ પાકિસ્તાની સેનાએ શાહપુર અને કેરની સેક્ટરમાં LoC પર અગ્રિમ ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કર્યુ હતું. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, શનિવારનાં રોજ સાંજનાં અંદાજે સાડા પાંચ કલાકે નાના હથિયારોથી ગોળીબારી શરૂ કરવામાં આવી હતી. શાહપુર અને કેરની વિસ્તારોમાં જ થઇ રહેલ ફાયરિંગને કારણ ત્યાં રહેનાર લોકોને પોતાનાં-પોતાનાં ઘરોની અંદર શરણ લેવી પડી.