બનાસકાંઠાના થરા રાધનપુર રોડ પર અકસ્માત થતા દોઢ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. બિસ્માર રસ્તાઓના કારણે બાઈક ચાલક સંતુલન ગુમાવી ગયો હતો અને પરિણામે બાળકી પટકાતા મોત
થરા રાધનપુર રોડ પર અકસ્માત
દોઢ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું
બિસ્માર રસ્તાઓએ લીધો બાળકીનો ભોગ
રાજ્યના દૂરઅંતર વિસ્તારમાં પણ વિકાસ પહોચાડવાની વાત વચ્ચે બનાસકાંઠા -રાધનપૂર વિસ્તારના રસ્તાઓ જ જીવલેણ નીવડે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ પર થી પસાર થતા વાહન ચાલકોનાં ભાગ્યમાં વિકાસની વાતો જ છે. સડક રૂપી સુવિધાઓ તેઓના નસીબમાં જ ના હોય તેમ ભગવાન ભરોસે વાહન લઈને નીકળતા હોય છે. આવા જ માર્ગ પર ખાડા-ટેકરા અને બિસ્માર રસ્તાના કારણે આજે દોઢા વર્ષીય બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના થરા રાધનપુર રોડ પર અકસ્માત થતા દોઢ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. બિસ્માર રસ્તાઓના કારણે બાઈક ચાલક સંતુલન ગુમાવી ગયો હતો અને પરિણામે બાળકી પટકાતા તેણીનું મોત નીપજ્યું હતું. પિતા -પુત્રી કોઈ કામસર નીકળ્યા હતા.અને આ દરમિયાન અક્સ્માત થયો હતો. દોઢ વર્ષની માસૂમ દીકરીના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે.બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટ માટે સિવિલમાં ખસેડાયો હતો.