ભાજપ નેતા રેશ્મા પટેલે ફરી એક વખત પક્ષ પ્રત્યેજ નારાજગી દર્શાવી છે. પેપરકાંડમાં ભાજપના નેતાઓના નામ સામે આવતા રેશ્માએ નારાજગી દર્શાવી છે.
રેશ્મા પટેલે નારાજગી દર્શાવતા કહ્યું કહ્યું કે આવા કાંડ સામે આવ્યા બાદ ભ્રષ્ટ નેતાઓને સસ્પેન્ડ કરવાથી રાજનીતિમાંથી ભ્રષ્ટ લોકો ખતમ નહીં થાય. પક્ષમાં રહેલા આવા લોકોના કારણે જ આજે માથું શરમથી ઝુકાવવું પડી રહ્યું છે.
શા માટે ચૂંટણી સમયે આવા ગુનાહિત ઇતિહાસ ધરરાવતા નેતાઓને ટિકિટ આપવામાં આવે છે.. આવા ભ્રષ્ટ નેતાઓને ટિકિટ આપવાથી જ તેમને આવા કૃત્યો કરવાની હિંમત મળે છે.