ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી વન ડે મૅચમાં એમ્પાયર પર ફરી એક સવાલ ઉભો થયો છે. ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન 26મી ઓવરમાં વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી વન ડે મૅચમાં એમ્પાયર પર ફરી એક સવાલ ઉભો થયો છે. ઇંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન 26મી ઓવરમાં વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વિવાદ
કોહલી અને એમ્પાયર ફરી સામ સામે
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને પણ નિર્ણયને ગણાવ્યો ખોટો
ભુવનેશ્વર કુમારના બોલ પર હિટ કર્યા બાદ બેન સ્ટોક્સે 2 રન લીધી હતા. બીજો રન પુરો થાય તે પહેલા કુલદીપ યાદવો મિડ વિકેટથી સીધુ સ્ટમ્પ પર થ્રો કર્યુ હતુ. રિપ્લે વીડિયોમાં સ્ટોક્સના બેટનો કોઇ પણ હિસ્સો ક્રીઝની અંદર આવ્યો નહોતો. જો કે થર્ડ એમ્પાયરે બેનીફીટ ઓફ ડાઉટ સ્ટોક્સ આપ્યુ અને તે નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરીઅને કહ્યું કે હું જો થર્ડ એમ્પાયર હોત તો જરૂર આઉટ કરત.
થર્ડ એમ્પાયરે બેનેફીટ ઓફ ડાઉટ આપ્યો
થર્ડ એમ્પાયરે જોયુ કે સ્ટોક્સનુ બેટ ઓન ધ લાઇન હતુ. સ્ટમ્પ્સની લાઇટ ત્યારે લાલ થઇ જ્યારે ઉપરનો હિસ્સો ક્રિઝની અંદર અને જમીનથી લાગેલ બેટનો હિસ્સો લાઇન પર હતો. નિર્ણય બાદ કોહલી પિચ પર આવ્યો અને ફિલ્ડ એમ્પાયર નિતિન મેનન સાથે દલીલ કરતો નજરે પડ્યો કે બેન સ્ટોક્સ આઉટ છે.
કોહલીએ ફિલ્ડ એમ્પાયર સાથે કરી દલીલ
કોહલીએ હાથથી ક્રિઝ પર બેટની મૂવમેન્ટને કહ્યું કે બેટનો ઉપરનો હિસ્સો ક્રીઝની અંદર હોવાથી કંઇ થતુ નથી. બેટનો નીચેનો હિસ્સો જોવાનો હોય છે. કમેન્ટેટર આકાશ ચોપરા અને ઇરફાન પઠાણે પણ તેને આઉટ કહ્યો હતો. આ દરમિયાન તેમણે ICCના સોફ્ટ સિગ્નલ નિયમ પર ડિબેટ કરવાની પણ વાત કરી હતી.
કમેન્ટેટર આકાશે સોફ્ટ સિગ્નલ પર સવાલ ઉઠાવ્યા હતા
આકાશે કહ્યું કે જ્યારે બાકી મુદ્દા પર થર્ડ એમ્પાયર ઓન-ફિલ્ડ એમ્પાયરને સોફ્ટ સિગ્નલ વિશે પુછે છે જ્યારે અહીંયા તેમની પાસેથી સોફ્ટ સિગ્નલ કેમ લેવામાં ન આવ્યું. આ નિયમ પર ઘણુ કન્ફ્યુઝન છે. આકાશે કહ્યું કે આ નિયમ ક્રિકેટમાં ન હોવો જોઇએ.