અંતરિક્ષમાં ચાઈના દ્વારા મોકલવામાં આવેલ એક રોકેટ બેકાબૂ થયું છે અને નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ગમે ત્યારે ધરતી પર આવી પડશે.
ફરી એક વાર દુનિયા માટે માથાનો દુખાવો બન્યું ચીન
ચીનનું રોકેટ બેકાબૂ થયું, ગમે ત્યારે ધરતી પર આવશે
ફુલ સ્પિડ સાથે ધરતી પર આવી પડશે આ રોકેટ
ચીનનું એક રોકેટ બેકાબૂ થઈને ધરતી પર ગમે ત્યારે પડવાનું છે. આ રોકેટે દુનિયાભરની ચિંતા વધારી દીધી છે. ગત વર્ષે જ હિન્દ મહાસાગરમાં એક આવું જ ચીની રોકેટ ક્રેશ થયું હતું અને તેના કાટમાળના કારણે પર્યાવરણને ખાસ્સુ નુકસાન પણ થયું હતું. નિષ્ણાંતોની ચિંતા સતાવી રહી છે કે, રવિવારે ચીનને જે 21 ટનનું રોકેટ માર્ચ 5 બી લોન્ચ કર્યું હતું. તે હવે ધરતીના વાતાવરણમાં બ્લાસ્ટ થવાનું છે. નિષ્ણાંતોનું માનીએ તો, ધરતીમાં પ્રવેશ કરતા જ રોકેટ સંપૂર્ણપણે સળગી જશે. તે અચાનક ધરતી પર આવશે અને કોઈ અજાણી જગ્યાએ ફુલ સ્પિડ સાથે પડશે. આ વાતની આશંકા થોડી ઓછી છે કે, તેનો કાટમાળ વસ્તીવાળા વિસ્તારમાં પડે, પણ નિષ્ણાંતોને એવી ચિંતા છે કે ચીન કારણ વગર દુનિયામાં ખતરો વધારતુ જઈ રહ્યું છે.
ગત અઠવાડીયે થયું હતું લોન્ચિંગ
ચીને ગત અઠવાડીયે જ હૈનાન સ્થિત વેનચાંગ લોન્ચ સાઈટ પરથી એક રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ અને સૌર ઊર્જાથી ચાલનારી નવી લેબને લઈને રવાના થયું હતું. જેમાં વેનતિયાન એકસપેરિમેંટ મોડ્રયૂલ હતું. તેને ચીનના તિયાંગોન્ગ સ્પેસ સ્ટેશન સુધી જવાનું હતું. પણ ગત વર્ષે મેની માફક આ વખતે પણ ધરતી પર ક્રેશ થવાની આશંકા છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પ્રશાસક બિલ નેલ્સને ચીન પર બેજવાબદારીભર્યા વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ચીન જવાબદારીના માપદંડોને માનતુ નથી અને અંતરિક્ષના કાટમાળને લઈને ખૂબ જ બેજવાબદાર છે. તેમણે કહ્યુ કે, રોકેટ ફરીથી ધરતીમાં પ્રવેશતા ખતરો ઓછો નથી કરતો અને ન તો ચીન અંતરિક્ષ કાર્યક્રમોને લઈને પારદર્શી છે.
લોન્ચિંગના સમયે બ્લાસ્ટ
ચીનનું આ રોકેટ લોન્ચિંગના સમયે જ બ્લાસ્ટ થઈ ગયું હતું. હવે આવનારા દિવસોમાં તે ધરતીના ચક્કર લગાવશે. તેના થોડા દિવસ બાદ તે ધરતી પર પાછુ આવશે. નિષ્ણાંતોનું માનીએ તો, ફ્લાઈટના રસ્તામાં ઘણી અડચળો આવી કારણ કે સૂરજની ગતિવિધિઓમાં ફેરફારના કારણે પર્યાવરણમાં પણ ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા. નિષ્ણાંતોનું માનીએ તો, ચીનના રોકેટ સાથે સૌથી મોટી સમસ્યા લોન્ચ પ્રક્રિયા અને તેની ડિઝાઈન છે. ચીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને અંતરિક્ષના કાર્યક્રમને ળઈને બેજવાબદાર છે. ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવાયુ છે કે,રોકેટના કારણે કોઈને પણ થનારા નુકસાનની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.