ઉદય પુરમાં થયેલા હત્યાકાંડથી આખો દેશ હચમચી ઉઢ્યો હતો. સેલેબ્સ પણ તેના વિરૂદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે એવામાં સાઉથની સુપરસ્ટાર અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને વિરોધ નોંધાવ્યો છે.
સાઉથની આ અભિનેત્રી આવી આગળ
ઉદયપુર હત્યાકાંડનો કર્યો વિરોધ
પોસ્ટ શેર કરીને કહી આ વાત
રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને કથિત રૂપે સમર્થન આપવાના કારણે કન્હૈયાલાલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોની સાથે સેલેબ્સમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોલિવૂડની સાથે સાથે હવે સાઉથના કલાકારોએ પણ આ હત્યા પર નારાજગી વ્યક્ત કરી છે. સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
કન્હૈયાલાલ મર્ડર કેસ બાદ પ્રણિતાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ફોટોમાં પ્રણિતા એક બોર્ડ સાથે જોવા મળી રહી છે જેમાં 'હિન્દુ લાઈવ્સ મેટર' લખેલું છે.
પહેલા પણ કરી હતી ટ્વીટ
પ્રણિતાએ આ પોસ્ટ સાથે લખ્યું, 'શું કોઈ સાંભળી રહ્યું છે.' તમને જણાવી દઈએ કે આ પહેલા પણ તે આ મામલે ટ્વિટ કરી ચુકી છે. હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ અભિનેત્રીએ ટ્વિટ કર્યું હતું કે, કાશ મેં ઉદયપુરનો વીડિયો ન જોયો હોત. ખરેખર આ આતંક છે. પાછળથી સંભળાતી આ ચીશો આપણા મગજમાં ગૂંજે છે લાંબા સમય સુધી સુધી આપણને પરેશાન કરશે."
મંગળવારની આ ઘટના
મહત્વનું છે કે આ ઘટના મંગળવારે બની હતી. બે મુસ્લિમ યુવકોએ આ હત્યાને અંજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ બંને યુવકો કપડાનું માપ આપવાના બહાને કન્હૈયાલાલની દુકાને પહોંચ્યા હતા અને બાદમાં તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કન્હૈયાલાલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાદમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.