મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દિલ્લીના પ્રવાસે છે. દિલ્લી સ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં વિજય રૂપાણી ભાગ લેશે.
મળતી માહિતી મુજબ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીને પગલે બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ આવતા વર્ષે એટલે કે 2019માં દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવશે.
અગામી વર્ષે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આયોજન માટેની રાષ્ટ્રીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.