વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિની એટલે કે ગુરુ દેવની સ્થિતિ મજબૂત હોય તો તેને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે
કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ મજબૂત હોય તો આર્થિક સમસ્યા નથી આવતી
ગુરુવારના દિવસે કરો આ ઉપાય
આપણા હિંદુ ધર્મમાં દરેક વાર કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે અને આજનો એટલે કે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસ ભગવાન વિષ્ણુની વિધિવત્ પૂજા કરવાથી, ઉપવાસ રાખવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળી રહે છે. આ સાથે જ બૃહસ્પતિ દેવ પણ ખુશ થાય છે અને તમને જણાવી દઈએ કે બૃહસ્પતિને ગ્રહોનો ગુરુ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિની એટલે કે ગુરુ દેવની સ્થિતિ મજબૂત હોય તો તેને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને એ સાથે કેળાના ઝાડને હળદર મિશ્રિત જળ અર્પણ કરવામાં આવે છે. આવું એટલા માટે કારણકે એવું કહેવાય છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને એટલા માટે જ દર ગુરુવારે નિયમિત રીતે કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે ગુરુવારના દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ. આ સાથે જ જો કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ છે તો ખાસ કરીને ગુરવારના દિવસે આ ઉપાય કરવા જોઈએ, જે તમારી કિસ્મત ચમકાવી દેશે..
ગુરુવારના દિવસે કરો આ ઉપાય
- ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે બીજા વધારાના આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિનો દિવસ બદલાઈ શકે છે. ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા પહેલા પાણીમાં હળદર નાખીને નહાવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિ જલ્દી જ ધનવાન બની શકે છે.
- ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન લગાવવું જોઈએ. આ સાથે જ ગુરુવારના દિવસે કેળા ન ખાવા જોઈએ અને એ સાથે જ આ દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.
- ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ અને સાથે જ આ દિવસે ફક્ત પીળા રંગની વસ્તુઓ જ ખાવી જોઈએ. આ સાથે જ જો શક્ય હોય તો ગુરુવારના દિવસે લોટમાં હળદર ઉમેરો, જેથી તે પીળો થઈ જાય અને પછી તેનું સેવન કરો.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ઘરના બધા લોકોએ સાથે બેસીને સત્યનારાયણની વાંચવી કે સાંભળવી જોઈએ.