શનિદેવ ભગવાન શિવના શિષ્ય છે અને એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં શનિદેવની પૂજા કરવાથી પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિવારે શનિદેવની યોગ્ય રીતે પૂજા કરો
જાણીએ શનિવારના રોજ કરવામાં આવતા ઉપાયો વિશે
શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિદેવને ન્યાયાધીશ અને કાર્યોના દાતા માનવામાં આવે છે. શનિદેવ પોતાના કર્મો અનુસાર તેઓને ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ માસમાં ભોલેનાથની પૂજા અને ઉપવાસ વગેરે કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. સાથે જ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં શ્રાવણનો સોમવાર વધુ ખાસ બની જાય છે. પરંતુ સોમવારની સાથે શ્રાવણના શનિવારનું પણ વિશેષ મહત્વ છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર શનિદેવ ભગવાન શિવના શિષ્ય છે અને એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં શનિદેવની પૂજા કરવાથી પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ શનિદેવ ભગવાન શિવના ભક્તોને કંઈ નથી કરતા. એવું માનવામાં આવે છે કે શનિવારે ઉપવાસ કરવાથી શનિ શાંત થાય છે. તેમજ વ્યક્તિને આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ શનિવારના રોજ કરવામાં આવતા ઉપાયો વિશે.
નોકરી મેળવવા માટે
શનિવારની સાંજે સ્નાન કરીને સાફ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ. એ પછી પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. એ પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે જરૂરિયાતમંદોને થોડું દાન કરવું જોઈએ.
વૈવાહિક સુખ માટે
એવી માન્યતા છે કે શનિવારના દિવસે વૈવાહિક સુખની ઈચ્છા ધરાવતા લોકોએ મા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
ધનલાભ માટે
લીમડાના લાકડાથી હવન કરવાથી ધન લાભ થઈ શકે છે. આ ઉપાય શનિદેવણી મૂર્તિ સામે બેસીને કરવો જોઈએ અને હવનમાં સામગ્રીઑ નાખતા શનિદેવના મંત્રોનો જપ કરવો જોઈએ.
વિવાહમાં આવતી બાધાઓ માટે
જો કી લોકોના લગ્ન નથી થઈ રહ્યા તો શનિવારે કેળાંના વૃક્ષની પૂજા કરો. સાથે જ એમને હળદરવાળું જળ પણ અર્પિત કરો.