હાલમાં પ્રવર્તી રહેલી અશાંતિને કારણે કંપનીએ આ વર્ષે 22 માર્ચથી ફેક્ટરીને તાળાબંધી કરી દીધી હતી. ગત વર્ષે ડિસેમ્બરથી કામદારો આ ફેક્ટરીમાં દેખાવો કરી રહ્યા હતા. મજૂર સંગઠનોએ માંગણી કરી હતી કે કરાર આધારિત કોન્ટ્રેક્ટ વાળા કામદારોને કામ સંબંધિત સારી શરતો આપવામાં આવે અને તેમના વેતનમાં વધારો કરવામાં આવે, જો કે કંપનીએ આ માંગણી સ્વીકારી નથી અને પ્લાન્ટ બંધ કરી દીધો છે, જેનાથી લગભગ 500 જેટલા લોકો બેરોજગાર થઈ ગયા છે.
વિપક્ષ અને મજૂર સંગઠનોના પ્રચંડ વિરોધ છતાં સરકારે પસાર કર્યા છે ત્રણ શ્રમિક કાયદા
સરકારે કહ્યું, "નવા કાયદાથી વિદેશી રોકાણ આવશે" જ્યારે વિદેશી પેપ્સિકો એ બંધ કર્યો પ્લાન્ટ
22 માર્ચથી જ કેરળ સ્થિત પેપ્સિકો પ્લાન્ટ ને કરી નાખવામાં આવી છે તાળાબંધી પછી નથી ખોલાયું
પેપ્સિકો એ કેરળ ના પલક્કડમાં તેની પ્રોડક્શન પ્લાન્ટ ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કામદારો ની હડતાલ અને સતત વિરોધને કારણે પેપ્સિકો ને ફેક્ટરી બંધ કરવી પડી હતી. આને કારણે લગભગ 500 જેટલા લોકો બેરોજગાર થઈ ગયા છે.
લોકડાઉન લાગૂ કરાયું ત્યારથી પ્લાન્ટની તાળાબંધી છે
અશાંતિને કારણે પેપ્સિકો કંપનીએ આ વર્ષે 22 માર્ચથી ફેક્ટરીને તાળાબંધી કરી દીધી હતી. લગભગ 15 વર્ષ પહેલાં, કોક, જે કોક જે અન્ય કોલ્ડડ્રિંક્સ ની મુખ્ય બ્રાન્ડ છે તે પણ રાજ્યમાં તેનો પ્લાન્ટ બંધ કરી ચૂકી છે. પલક્કડમાં પેપ્સિકો ની ફેક્ટરીનું સંચાલન વરુણ બેવરેજ લિમિટેડ દ્વારા સંચાલિત હતું. આખરે, કંપનીએ રાજ્યના શ્રમ વિભાગ ને તેને બંધ કરવાની નોટિસ આપી.
દક્ષિણપંથી, ડાબેરી સહિતના તમામ મજૂર સંગઠનો આના વિરોધમાં સામેલ હતા
ગત વર્ષે ડિસેમ્બરથી કામદારો આ ફેક્ટરીમાં દેખાવો કરી રહ્યા હતા. આમાં CPI - M સાથે સંકળાયેલ CITU, કોંગ્રેસ સાથે સંકળાયેલ INTUC અને RSS સાથે જોડાયેલા ભારતીય મઝદુર સંઘ ના સભ્યો શામેલ હતા. આ સંગઠનોની માંગ હતી કે કોન્ટ્રેક્ટ ધરાવતા કરાર આધારિત કામદારો ને કામની વધુ સારી સ્થિતિ આપવામાં આવે અને તેમના પગારમાં વધારો કરવામાં આવે. 1 વર્ષી કંપની ના મેનેજમેન્ટ પાસે આ માંગણી પેન્ડિંગ હતી.
ડિસેમ્બરથી 110 નિયમિત કર્મચારીઓ સાથે 280 કરાર આધારિત કામદારો અહીં કામગીરી કરી રહ્યા હતા, જે કામ ન કરી શકવાના કારણે ઉત્પાદનને અસર થઈ રહી છે. આ પછી પેપ્સિકો મેનેજમેન્ટે 22 માર્ચથી ફેક્ટરીને તાળા મારી દીધા હતા.
લેબર કમિશનરને પણ મળવા રાજી નહોતું મેનેજમેન્ટ : મજૂર સંગઠન
પેપ્સીના UBL યુનિટના CITU ના જનરલ સેક્રેટરી એસઆઇટી રમેશે કહ્યું કે, અમે કરાર આધારિત કર્મચારીઓ માટેના પગારનું માળખું નક્કી કરવા માટે મેનેજમેંટ સાથે ઘણી વાર વાત કરી હતી, પરંતુ પેપ્સિકો મેનેજમેન્ટ એ હંમેશા અમારી કાયદેસર માંગણી ને નકારી કાઢી હતી, તેઓ લેબર કમિશનર અને અન્ય અધિકારીઓને મળવા પણ સંમત ન થયા. તેથી અમારી પાસે વિરોધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.
આ વિરોધ અને હડતાલના કારણે કંપની ને લગાતાર ખોટ જઇ રહી હતી, જેને લઈને આખરે પેપ્સિકો કંપનીએ પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેનાથી કામદારો બેરોજગાર થયા છે. નોંધનીય વાત એ છે કે અહીં વિરોધ કરવા માટે કોંગ્રેસ, સામ્યવાદી અને ભાજપ સમર્થિત ત્રણેય વિચારધારાઓના મજૂર સંગઠનો સામેલ હતા. હાલમાં જ મોદી સરકારે જે શ્રમિક કાયદાઓ પસાર કર્યા છે તેનો વિરોધ ભારતીય મઝદુર સંઘ દ્વારા પણ કરવામાં આવ્યો છે.
શ્રમ વિભાગ પાસે મામલો ગયો હતો પરંતુ કંપની બંધ થઈ ગઈ
આ સમગ્ર મામલો લોકડાઉન ના સમયથી શરૂ છે, અહીં જ્યાં એકબાજુ મોદી સરકાર આ કાયદાઓ દ્વારા વિદેશી રોકાણ વધવાની વાત કરી રહી છે, ત્યારે અહી આ વિદેશો કંપનીએ તેનો પ્લાન્ટ બંધ કર્યો છે. વિપક્ષો ની જ કેરળ માં સરકાર છે તો પણ તેઓ શ્રમિકો ને વધુ સારી કામની શરતો અને વધુ વેતન અપાવવામાં નિષ્ફળ નીવડ્યા છે, જેરે કે ઊલટાનું કર્મચારીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. કરાર આધારિત કર્મીઓ માટે આંદોલન હતું છતાં ઊલટાનું જે કાયમી કામદારો હતા તેઓ પણ બેરોજગાર બની ગયા છે.
આ કિસ્સો ભારતના શ્રમિક કાયદા ઓની નિષ્ફળતા દેખાડે છે, જ્યાં એકબાજુ સરકાર અને વિપક્ષ બંને એક નાવ પર રહીને પણ મજૂરોને બેરોજગાર થતાં બચાવી શક્યા નથી, અને કંપનીના નવા રોકાણ ને પણ આકર્ષી શક્યા નથી, આ સ્થિતિમાં ભારત ના શ્રમિક કાનૂન એક ઉદ્યોગને બંધ થવામાં અને કામદારોને બેરોજગારો થતાં બચાવી શક્યા નથી. પેપ્સિકો કંપની ને હાલ પૂરતું ઉત્પાદન બંધ રાખવું પડ્યું છે.