સ્કૂલના દિવસોમાં જ્યારે કોપીમાં કશુ લખતા હતા તો કોણીની બાજુમાં બેઠેલા મિત્રની કોણી ટકરાતી હતી ત્યારે સમાધાન નિકળ્યું કે હંમેશા ડાબોડી વ્યક્તિની બાજુમાં બેસવુ પડશે નહીં તો આ સમસ્યા દૂર નહી થાય.
ડાબોડી લોકો નાનપણથી જ કરે છે સંઘર્ષ
ડાબોડી લોકોને ભગવાને આ વિશેષ ગુણો આપ્યાં છે
ડાબોડી માણસની કલ્પનાશક્તિ અને રચનાત્મકતા શ્રેષ્ઠ હોય છે
ડાબા હાથે કામ કરતા લોકોએ કરવો પડે છે સંઘર્ષ
કોચિંગ ક્લાસમાં ખુરશી પર કૉપી રાખવા માટે બનાવવામાં આવેલુ બોર્ડ પણ માત્ર જમણી બાજુ હતુ તો વારંવાર હાથમાં જ કૉપી રાખીને લખવાની આદત પડી ગઇ. ઘરમાં કોઈ પૂજા-પાઠ હોય અથવા પિતા પાસે પોકેટમની લેવા માટેનુ ખિસ્સુ, દુકાન પર સામાન ખરીદવો, ઘણી વખત ડાબો હાથ આગળ વધારતા વારંવાર સાંભળવા મળતુ હતુ કે આ ઉલ્ટો છે, જમણો હાથ આગળ વધારો. કોમ્પ્યુટર પર કામ કરવાનુ હોય કે પછી સહી કરવાની હોય અથવા કોઈ કૉપીમાં લખવાનુ હોય. જેનો માર્ગ આજુબાજુના લોકોથી અલગ હોય છે. આ વાત એવા દરેક શખ્સના જીવન સાથે જોડાયેલી છે જે મોટાભાગે ડાબા હાથે કામ કરે છે. વિશ્વના લગભગ 90 ટકા જમોણી લોકોના હિસાબથી બનાવવામાં આવેલી વસ્તુઓ વચ્ચે તાલમેલ બેસાડવાનો આ પ્રયાસ બાળપણથી જ શરૂ થાય છે.
પરંતુ ડાબોડી લોકોને માત્ર સમસ્યા આપી નથી. ભગવાને તેમને જન્મજાત ગુણો પણ આપ્યા છે. કહેવાય છે કે ડાબા હાથેથી કામ કરનારા લોકો રચનાત્મક હોય છે, તેમની કલ્પના શક્તિ સારી હોય છે અને તેઓ વિશેષ રીતે કુશળ હોય છે.
ડાબોડી લોકો ભાવનાત્મક રીતે હોય છે શ્રેષ્ઠ
ડાબા હાથથી કામ કરનારા લોકો સંબંધો, મિત્રતા નિભાવવામાં પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે. તેઓ સામેવાળી વ્યક્તિ પાસેથી એવી જ આશા રાખે છે. જેમ કે ડાબોડી લોકો કોઈ વ્યક્તિને સમજી રહ્યાં છે, તેનો ખ્યાલ રાખી રહ્યાં છે, તો તેઓ પણ ઈચ્છે છે કે તે વ્યક્તિ પણ તેની સાથે એવો જ વ્યવહાર કરે. આવા લોકોની અંદર એક ભાવનાત્મક પરિપૂર્ણતાની ભાવના હોય છે. એવામાં જ્યારે તેમના મુજબ થતુ નથી તો તેમને વધુ ખોટુ લાગે છે.
કલ્પનાશક્તિ અને રચનાત્મકતા
ઘણા અભ્યાસ પરથી આ વાત સાબિત થઇ છે કે રચનાત્મકતા, કલ્પનાશક્તિ, સપનુ જોવુ અને પછી વિચાર કરવાની વાત હોય તો ડાબોડી લોકો સારું પ્રદર્શન કરે છે. તેમનામાં ભવિષ્ય પ્રત્યે આશાવાદી નજર હોય છે.
આ છે પ્રસિદ્ધ ડાબોડી મહાનુભાવો
ડાબોડી લોકો જન્મથી નેતૃત્વકર્તા પણ કહેવાય છે. તેમનામાં બીજાને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે. તેઓ પ્રચલિત માર્ગથી હટીને પોતાનો અલગ માર્ગ બનાવે છે. જેને બાદમાં દરેક વ્યક્તિ અપનાવવા માંગે છે. મહાત્મા ગાંધી, બરાક ઓબામા, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, પાબ્લો પિકાસો, નેપોલિયન બોનાપાર્ટ, લિયોનાર્ડો દા વિંચી, સચિન તેંડુલકર, ટોમ ક્રૂજ, એન્જોલિના જોલી, અમિતાભ બચ્ચન, લક્ષ્મીનારાયણ મિત્તલ જેવા મહાન અને ચર્ચિત મહાનુભાવો તેનુ ઉદાહરણ છે.