હિંદુ ધર્મમાં કોઈ પણ શુબ કાર્ય કરતા પહેલા ગણેશની મૂર્તિ અને શુભ-લાભને જ્યોતિષીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરના દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવી રાખી છે તો થોડી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઘરમાં સુખ-સમૃદ્ધિ ટકાવી રાખવા માટે ગણપતિની મૂર્તિને સિંદૂર લગાવવું શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. તે લગાવેલ મૂર્તિ ઘરમાં હોવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
જો ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજી બિરાજમાન છે તો આજુ બાજુ સાફ-સફાઈ રાખો. જો ઘરના દ્વાર પર ગણપતિનો ફોટો મુકેલો છે તો તેની બીજી બાજુ એજ સ્થાને ગણેશની પ્રતિમા મૂકો.
જો ઘરમાં કોઈ ભાગ વાસ્તુદોષથી પીડાય છે તો સિંદુરમાં ઘી ભેળવી ભગવાન ગણેશની મૂર્તિ પર ચડાવો. આવું કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે. આ ઉપરાંત ગણેશજીની મૂર્તિ અથવા ફોટો તે બેઠા હોય તેવી સ્થિતિમાં હોવી જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.