જમ્મૂ-કશ્મીરમાં તૈનાત કરવામાં આવેલી 100થી પણ વધુ કંપનીને લઈને પીડીપીના નેતા મહેબૂબા મુફ્તિએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. મહેબૂબા મુફ્તિના આ વિવાદિત નિવેદનમાં દેશપ્રેમ નહીં પણ દેશદ્રોહની લાગણી છલકાઈ રહી છે જોઇએ નિવેદન.
મહેબૂબા મુફ્તિએ કહ્યુ કે, આર્ટિકલ 35 A સાથે છેડછાડ કરવી એટલે દારૂગોળાને હાથ લગાવવા બરાબર છે. આર્ટિકલ 35 A સાથે છેડછાડ કરનારાના માત્ર હાથ જ નહીં પણ આખુ શરીર બળીને ખાખ થઈ જશે. કશ્મીરની રક્ષા માટે પીડીપી છેલ્લા શ્વાસ સુધી લડશે. મહેબૂબા મુફ્તિના આ વિવાદિત નિવેદનમાં દેશપ્રેમ નહીં પણ દેશદ્રોહની લાગણી છલકાઈ રહી છે.
મહત્વનુ છે કે, જમ્મૂ કશ્મીરમાં 100થી પણ વધુ કંપની તૈનાત કરવામાં આવી છે. ત્યારે એવી અટકળો વહેતી થઈ છે કે, સરકાર જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 35 A અને આર્ટિકલ 370 હટાવી શકે છે. તો બીજી તરફ આતંકી હુમલાનું પણ ષડયંત્ર હોઈ ઘાટીમાં 100થી વધુ કંપની તૈનાત કરવામાં આવી છે. જેને લઈને અલગાવવાદી નેતાઓમાં ભારે ફફડાટ છે.