નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસ પર ફિટનેસ પ્રત્યે જાગરૂકતા લાવવા મામલે પીએમ મોદીએ ફીટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરાવી છે. ફિટ ઈન્ડિયા મુવમેન્ટથી શિક્ષણ વિભાગે બોધપાઠ લીધો છે.. ત્યારે હવે બાળકોના સ્વાસ્થય મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે નિવેદન આપ્યું છે કે, મેદાન વગરની શાળાઓને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે નહી. સરકારી શાળાઓમાં રમતગમત પ્રવૃતિ વધારવામાં આવશે. સાથે જ સરકારી સ્કૂલમાં બાળકો ફિટ રહે તે માટે અભિયાન હાથ ધરાશે. તમામ સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સ કિટ અપાશે. સાથે જ તેમણે જણાવ્યુ કે, જે શાળાઓ પાસે મેદાન નથી, તેમની સામે કઈ કરી શકાય નહી. આગામી દિવસોમાં જે શાળાને મેદાન વિના પરવાનગી આપવામાં આવશે નહી...