આયોધ્યામાં રામમંદિરના બાંધકામ માટે મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદના પદ પરથી ઉતર્યા બાદ પ્રવીણ તોગડિયા રામ મંદિરના નિર્માણના પ્રયત્નોમાં જોડાયા છે. આજથી રામ મંદિરની માંગ માટે તોગડિયા આમરણ ઉપવાસ કરશે.
પ્રવિણ તોગડીયાએ વડાપ્રધા નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી હતી. તોગડીયા કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદને કહ્યું હતું કે એક વખતા અમે સંસદમાં બહુમતિ સરકાર બનાવીએ તો અમે વિધેયક પાસ કરીને રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બનાવીશું.
આ ઉપરાંત પ્રવિણ તોગડીયાએ પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે સરહદ પર સૈનિક સુરક્ષિત નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. અમારી દિકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી અને વડાપ્રધાન વિદેશ પ્રવાસે જાય છે.
પ્રવિણ તોગડીયા 32 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રહ્યા છે. પ્રવિણ તોગડીયાને નવી ટીમમાં સ્થાન મળ્યું નથી અને આ સાથે પ્રવીણ તોગડીયાએ સંગઠન છોડવાની પણ જાહેરાત કરી હતી.
વિશ્વહિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આજથી આમરણ ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે. આ ઉપવાસ વિશ્વહિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જ કરવામાં આવશે ત્યારે પ્રવિણ તોગડિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં VHP ના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ આ ઉપવાસ આંદોલનમાં જોડાય તેની શકયતા છે.
પ્રવીણ તોગડિયાના આ આંદોલનને અખિલસ વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટનું સમર્થન મળ્યું છે. ત્યારે વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટના સહિત દેશભરમાંથી સંતો મહંતો પણ મોટી સંખ્યામાં આ ઉપવાસ આંદોલનમાં જોડાય શકે તેવી શક્યતા છે.