મહાઅષ્ટમીના દિવસે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
નવરાત્રિના આઠમા દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે
મહાઅષ્ટમીના દિવસે આ વાતોનું રાખો ધ્યાન
આજે કન્યા પૂજા કરવી જોઈએ
આજે નવરાત્રીના નવ નોરતામાંથી આઠમું નોરતું ઉજવવામાં આવી રહ્યું છે. નવરાત્રિની અષ્ટમી તિથિનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે એટલે તેને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે અને આ સિવાય તેને દુર્ગાષ્ટમી પણ કહેવામાં આવે છે. અષ્ટમીના દિવસે ઘરે-ઘરે હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે આ સાથે જ આજે નવરાત્રિના આઠમા દિવસે મા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આજનો દિવસ ખાસ છે અને આજના આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. મહાઅષ્ટમીના દિવસે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મહાઅષ્ટમીના દિવસે આ વાતોનું રાખો ધ્યાન
- નવરાત્રિની અષ્ટમી એટલે કે આઠમના દિવસે સવારે વહેલા સ્નાન કરીને માતા રાનીનો પાઠ કરવો જોઈએ અને જો વ્રત ન રાખ્યો હોય તો પણ વહેલા સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. લાંબા સમય સુધી સૂવાની કે ન નહાવાની ભૂલ ન કરવી.
- અષ્ટમી પર બ્લૂ કે કાળા રંગના કપડાં ન પહેરવા પણ તેના બદલે પીળા કે લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.
- અષ્ટમીના દિવસે ખાસ હવન-પૂજા કરવું જોઈએ નહીં તો નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલી પૂજાનું ફળ અધૂરું રહેશે. હવન દરમિયાન ખાસ આ વાતનું ધ્યાન રાખવું કે હવનની સામગ્રી કુંડની બહાર ન ભૂલથી પણ ન પડે.
- પૂજા પછી દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ.
- જેમણે ઘરમાં કળશ સ્થાપિત કર્યું હોય કે 9 દિવસ સુધી ઉપવાસ કર્યા હોય એ લોકોએ આજે કન્યા પૂજા કરવી જોઈએ. કન્યા પૂજા માટે 2 થી 10 વર્ષની છોકરીઓને ભોજન કરાવીને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ.