આવનારી 31 જાન્યુઆરીના દીવસે અમુક રાશીઓ પર શનિ ગોચર અને શનિ અસ્તનો વિપરીત પ્રભાવ પડી શકે છે. જાણો કઈ છે એ રાશીઓ.
31 જાન્યુઆરીના દીવસે શનિ કુંભ રાશીમાં અસ્ત થશે
શનિ અસ્ત થવા પર નોકરી પર ખાસ પ્રભાવ પડી શકે છે
આ રાશીઓ શની ગોચરથી પ્રભાવિત થઇ શકે
17 જાન્યુઆરી 2023 ના દીવસે શનીદેવ કુંભ રાશીમાં પ્રવેશ કરી ચુકયા છે અને આવનારી 31 જાન્યુઆરીના દીવસે તે કુંભ રાશીમાં અસ્ત થશે એ પછી 5 માર્ચના દિવસે શનિદેવ એકવાર ફરી એની મૂળત્રિકોણ કુંભ રાશિમાં ઉદીત થશે. શની અસ્તનું રાશી કે જાતકો પર વિપરીત પ્રભાવ પડી શકે છે. આ રાશિના લોકોએ શની અસ્તના સમય દરમિયાન પરેશાનીઓનો સામનો પણ કરવો પડે.જાણો એ કઈ રાશીઓ છે જે શની ગોચર અને શની અસ્તથી પ્રભાવિત થઇ શકે છે
શની અસ્તનો સમય ગણના અનુસાર 31 જાન્યુઆરી,મંગળવારની બપોરે 2 વાગ્યે અને 46 મિનીટ પર બતાવી રહ્યા છે,ત્યાં 5 માર્ચ 2023 ના રવિવારે રાત્રે 8 વાગ્યે અને 25 મીનીટે શનિદેવ કુંભ રાશિમાં એક વાર ફરી ઉદિત થશે. શનિ અસ્ત થવા પર નોકરી પર ખાસ પ્રભાવ પડી શકે છે. એ સિવાય સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાની જરૂર પડી શકે છે.જે લોકો પ્રાઈવેટ નોકરી કરે છે એની પર અસર પડી શકે છે.
કુંભ રાશિ
શનિદેવ કુંભ રાશિમાં જ અસ્ત થવા જઈ રહ્યા છે, એ દરમિયાન આ રાશિના જાતકો પર શનિ અસ્તનો અધ્યાત્મિક પ્રભાવ પડી શકે છે. આ રાશિના લોકોને પારિવારિક સ્થિતિ ખરાબ થઇ શકે છે, સાથે જ લગ્ન જીવન પર પણ અસર થવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે મન-મુટાવ વધી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના છટ્ઠા ઘરમાં શનિ અસ્ત થશે. એ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઇ શકે છે. આ રાશિના લોકોને ખર્ચ વધી શકે છે. પૈસાની તંગી પણ આવી શકે છે અને આર્થિક પરેશાનીઓમાં વધારો થઇ શકે છે.
મેષ રાશિ
શની અસ્ત થવાથી મેષ રાશિના જાતકોનું વ્યવસાયિક જીવન પ્રભાવિત થઇ શકે છે. આ રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂરત છે. મેષ રાશિના જાતકોને એ સલાહ પણ આપવામાં આવે છે કે એમણે શનિ ઉદય થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું રોકાણ ના કરવું.