દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે.આ સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તેના સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે
દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે
સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 03 મિનિટનો રહેશે
સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં બંનેનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 25 ઓક્ટોબરના રોજ એટલે કે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના દિવસે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 03 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તેના સૂતકનો સમય દિવાળીની રાતથી જ શરૂ થશે અને એટલા માટે એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ ખૂબ પ્રભાવશાળી સાબિત થશે.
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને એ રાત્રે જ સૂતક લાગવા જઈ રહ્યું છે એટલા માટે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે આ સૂર્યગ્રહણનો સમય કેટલો સમય ચાલશે અને તેનો સુતક સમયગાળો કેટલો રહેશે. એટલા માટે આજે અમે તમને આ સૂર્યગ્રહણના સમય અને સૂતક સમય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
સૂર્યગ્રહણનો સમય
પંચાંગ અનુસાર આ વખતે ગોવર્ધન પૂજાના દિવસે એટલે કે 25 ઓક્ટોબર 2022ના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. જણાવી દઈએ કે 25 ઓક્ટોબરની સાંજે 4:22 કલાકે સૂર્યગ્રહણ શરૂ થશે. અને સાંજે 6.25 કલાકે પૂર્ણ થશે. આ સૂર્યગ્રહણ પૂરું થાય એ પહેલા સૂર્યાસ્ત થઈ જશે અને ભારતમાં સૂર્યાસ્ત સમયે જ ગ્રહણ મોક્ષ મનાવવામાં આવશે.
સૂર્યગ્રહણનો સૂતકનો સમય ક્યાં સુધી રહેશે
જ્યોતિષ શાસ્ત્રના જાણકાર મુજબ સૂર્યગ્રહણનો સુતક સમય ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે એટલે કે સુતક કાળ 24 ઓક્ટોબરે એટલે કે દિવાળીની રાત્રે 2.29 વાગ્યાથી શરૂ થશે. જો કે દિવાળીની રાત્રે મા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવા માટે એ ઘણો શુભ સમય છે.
સૂર્યગ્રહણ સમાપ્ત થાય ત્યારે શું કરવું
ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ સ્નાન કરીને પછી જ પૂજા કરવી જોઈએ. સૂર્યગ્રહણ દરમિયાન દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવામાં આવતો નથી. આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ પૂરું થયા પછી દાન કરવું શુભ માનવામાં આવે છે.