સુહાગરાતે વર અને વધૂ દાંપત્યજીવનની શરુઆત કરતા હોય છે તેથી તેમને માટે આ નાઈટ ખૂબ મહત્વની હોય છે પરંતુ ક્યારેક આનાથી ઉલટું બને છે.
યુપીના મુરાદાબાદનો અજીબોગરીબ મામલો
ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ યુવતીએ કર્યા લગ્ન
સુહાગરાતે પતિને કહ્યું મને શારીરિક સંબંધો બાંધવા ગમતા નથી
દુલ્હનની વાત સાંભળીને વર આઘાતમાં સરી પડ્યાં
ચાર-ચાર વર્ષના લવ બાદ કોઈ યુવતી જ્યારે યુવાન સાથે લગ્ન કરે અને પછી લગ્નની પહેલી જ રાતે કહે કે મને શારીરિક સંબંધો બાંધવા ગમતા નથી ત્યારે તે પતિની કેવી હાલત થાય તેની કલ્પના કરો. યુપીના મુરાદાબાદમાં પણ આવી જ એક ઘટના બની છે.
ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ યુવતીએ યુવાન સાથે કર્યા લગન
મુરાદાબાદની રહેવાસી આ યુવતીને સોનીપતમાં એક એન્જિનિયર સાથે પ્રેમ સંબંધ હતો. યુવકને મુરાદાબાદ આવવા-જવાનું હતું. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. લગભગ ચાર વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમસંબંધ ચાલુ રહ્યો. જ્યારે આ કપલે પરિવાર સામે લગ્ન કરવાની વાત કરી તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. જેના પર યુવતીએ પરિવારજનોને ઝેર પીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. છોકરાએ તેના પરિવાર પર પણ દબાણ બનાવ્યું. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા.
યુપીના મુરાદાબાદથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે.
લગ્નની પહેલી રાતે પત્નીએ કહ્યું-મને શારીરિક સંબંધો બાંધવા ગમતા નથી
દુલ્હને પહેલી રાતે તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી. દુલ્હને કહ્યું કે મને મારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધવો પસંદ નથી.પહેલા તો પતિએ માન્યું કે તે મજાક કરતી હશે પરંતુ પત્નીએ વારંવાર આ વાત દોહરવી ત્યારે તેને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો અને તેને લાગ્યું કે જરુર કંઈક ખોટું થયું છે. પતિએ તેને ખૂબ સમજાવી તેમ છતાં પણ તે માની નહોતી, આખરે કંટાળીને યુવાને ઘરનાને વાત કરી હતી.
નારી ઉત્થાન કેન્દ્રમાં બન્નેએ અલગ પડવાનો કર્યો નિર્ણય
પરિવારે બદનામીને બીકે આ વાતની કોઈને વાત કરી નહોતી પરંતુ આખરે આ મામલો પહેલા તો પંચાયતમાં પહોંચ્યો હતો અને ત્યાં આ મુદ્દાનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાં પણ કંઈ ન વળતા આખરે મામલો નારી ઉત્થાન કેન્દ્ર સુધી પહોંચ્યો હતો. કાઉન્સેલિંગ દરમિયાન બંનેએ છૂટા પડવાનો નિર્ણય લીધો હતો.