MahaShivratri 2023: શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતા પહેલા ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો. આપણે જાણીશું કે મહાશિવરાત્રીની પૂજામાં કેટલા બીલીપત્ર ચઢાવવાથી ભોલેનાથ ખુશ થાય છે
મહાશિવરાત્રીનો પર્વ અને લોકોમાં તેની મહિમા
મહાશિવરાત્રીની પૂજામાં બીલીપત્રનું મહત્વ
બીલીપત્ર ચઢાવવાના નિયમ
મહાશિવરાત્રી 2023: બધા જ દેવોમાં મહાદેવ સૌથી વધારે ભોળા છે, એટલે જ મહાદેવના ભક્તો એમને ભોળાનાથ કહીને સંબોધે છે. ભગવાન શિવ શંકર તેમના ભક્તોની મનોકામના તરત જ પૂરી કરી આપે છે. તેમની પૂજા માટે ખાલી એક લોટો પાણી અને થોડાક બીલીપત્ર જ ઘણા છે. કોઈ પણ ભક્ત સાચા દિલથી શિવલિંગ પર પાણી અને બીલીપત્ર ચઢાવે તો ભગવાન ભોળાનાથ એમની બધી જ ઈચ્છા પૂર્ણ કરી આપે છે. એમાં પણ ખાસ કરીને જો કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનામા અને મહાશિવરાત્રીની પૂજા કરે તો શિવજી એમને મનગમતો જીવનસાથી, સંતાન સુખ અને શૌભાગ્યના આશીર્વાદ આપે છે. વર્ષમાં આ બે તહેવારો શિવજીના ભક્તો માટે ખાસ હોય છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનું પર્વ છે, જેને લોકોમાં ધૂમધામથી ઉજવામાં આવશે.
મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખો
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના મંદિરમાં લોકોની લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. શિવલિંગ પર પાણી અર્પણ કરવા માટે લોકો અડધી રાતથી શિવાલયની બહાર ઊભા હોય છે. તમને જણાવી દઈએ કે શિવજીની પૂજામાં બીલીપત્રનું ખૂબ જ મહત્વ હોય છે. ભોળાનાથને બીલીપત્ર ખૂબજ પ્રિય છે, એટલે જ મહાશિવરાત્રીની પૂજામાં બિલીપત્રને જરૂર રાખો. એક વાત ધ્યાન રાખજો કે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાનો પણ એક નિયમ છે. તેની સાથે કેટલા બીલીપત્ર ચઢાવવા એનો પણ નિયમ છે.
શિવલિંગ પર કેટલા બીલીપત્ર ચઢાવવા જોઈએ?
મહાશિવરાત્રીની પૂજામાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે. માન્યતાઓ મુજબ શિવલિંગ પર 3 કે 11 બીલીપત્ર ચઢાવવાએ શુભ માનવામાં આવે છે. પણ જો તમારી પાસે એક અથવા એકથી વધારે બીલીપત્ર હોય તો તમે એને શિવલિંગ પર ચડાવી જ શકો અને ભોળાનાથને પ્રસન્ન કરી જ શકો. તાત્કાલિક વિવાહ માટે 108 બીલીપત્ર ચઢાવવા જોઈએ.
બીલીપત્રને ચઢાવવાનો સાચો નિયમ
શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતી વખતે ધ્યાન રાખવું કે પત્રનો ચીકણો ભાગ શિવલિંગ ઉપર આવો જોઈએ. જો તમે ઈચ્છો તો બીલીપત્રની ઉપરની બાજુએ ચંદન પણ લખી શકો. હમેશા બીલીપત્રની ચીકણી બાજુ જ શિવલિંગને અર્પિત કરવાની. તામારી પાસે વધુ બિલીપત્ર નથી તો તમે એક જ બીલીપત્ર ને વારે-વારે પાણીમાં બોળીને શિવલિંગ પર ચડાવી શકો. પાણી ચડાવ્યા વગર શિવલિંગ પર બીલીપત્રના ચઢાવવું જોઈએ. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પત્ર કપાયેલું કે તૂટી ગયેલું ના હોવુ જોઈએ, અને વધુ ધાર વાળું પણ ના હોવું જોઈએ. જે બીલીપત્રમાં ધાર હોય એને પૂજામાં ના લેવું જોઈએ.