યોગ ગુરૂ બાબા રામદેવ રામનવમીના દિવસે 100 યુવક-યુવતીઓને સંન્યાસી બનાવવા માટે દીક્ષા અપાવશે. તેમાં 40 મહિલાઓ અને 60 પુરૂષો હશે. તેના ઉપરાંત તેમણે સમાન નાગરિક સંહિતા પર પણ મોટુ નિવેદન આપ્યું છે.
યોગ ગુરૂ બાબા રામદેવનું મોટુ નિવેદન
100 યુવક-યુવતીઓને અપાવશે દીક્ષા
સમાન નાગરિક સંહિતા પર પણ આપ્યું મોટુ નિવેદન
યોગ ગુરૂ બાબા રામદેવ રામનવમીના દિવસે 100 લોકોને સંન્યાસની દીક્ષા અપાવશે. તેના માટે તેમમે પતંજલી યોગ પીઠમાં બુધવારે નવ સંવત્સ ચૈત્ર નવરાત્રીના પર્વ પર ભવ્ય સંન્યાસ દીક્ષા કાર્યક્રમ શરૂ કર્યો છે.
તેમાં 40 મહિલાઓ અને 60 પુરૂષ રામનવમી પર સ્વામી રામદેવ સાથે સંન્યાસની દીક્ષા લેશે. તેની સાથે જ લગભગ 500 પ્રબુદ્ધ મહિલાઓ અને પુરૂષોને સ્વામી રામદેવના નજીકના આચાર્ય બાળકૃષ્ણ બ્રહ્મચાર્યની દીક્ષા આપશે.
શું કહ્યું બાબા રામદેવે?
કાર્યક્રમમાં રામદેવે જણાવ્યું કે રામનવમીના દિવસે ચાર વેદોને મહાપારાયણ યજ્ઞની પૂર્ણાહૂતિની સાથે રામરાજ્યની પ્રતિષ્ઠા, હિન્દૂ રાષ્ટ્રનું ગૌરવ અને સનાતન ધર્મના યુગધર્મ અને વિશ્વધર્મના રૂપમાં પ્રતિષ્ઠાપિત કરવા માટે આ નવ સંન્યાસી અમારા પૂર્વજ ઋષિ-મુનિઓની સંન્યાસ પરંપરામાં દીક્ષિત થશે.
રામ મંદિરને લઈને પણ આપ્યું નિવેદન
બાબા રામદેવે જણાવ્યું કે પતંજલી યોગપીઠમાં સ્ત્રી-પુરૂષ, જાતિ, મત, પંથ, ધર્મ, સંપ્રદાયની સંકીર્ણતાઓના કોઈ ભેદ નથી અને અહીંથી સંન્યાસ દીક્ષામાં દીક્ષિત થઈને દરકે ભાઈ-બહેન સનાતન ધર્મની પતાકા આખા વિશ્વમાં ફરકાવશે. પોતાના સંબોધનમાં રામ મંદિર પર બોલતા બાબા રામદેવે કહ્યું કે તેનાથી રામરાજ્યની પ્રતિષ્ઠા થશે અને રામ મંદિરની સાથે સાથે આ દેશનું રાષ્ટ્ર મંદિર પણ બનશે.
તેમણે કહ્યું કે રામ મંદિરનું લોકાર્પણ આવતા વર્ષે જાન્યુઆરીમાં થઈ જશે અને જમ્મુ-કાશ્મીરથી કલમ 370 પણ સમાન્ય થઈ ગઈ છે. જોકે તેમણે કહ્યું કે હજુ બે મોટા કામ બાકી છે પહેલું- સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની અને બીજુ જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવવો. તેમણે આશા વ્યક્ત કરી કે આ બન્ને કામ પણ આવતા વર્ષ 2024 સુધી થઈ જશે.
કાર્યક્રમનું ઉદ્ધાટન
આ પહેલા ભવ્ય સંન્યાસ દીક્ષા કાર્યક્રમના ઉદ્ધાટન કરતા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે પતંજલી યોગપીઠથી 100 લોકોના સંન્યાસની દીક્ષા લેવા અને સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરતા 15000 યુવાઓમાંથી 500 પ્રબુદ્ધજનોના આચાર્ય બાળકૃષ્ણથી બ્રહ્મચર્યની દીક્ષા લેવાનો અવસર ખૂબ રોમાંચિત કરનાર છે. તેમણે કહ્યું કે તે ચમત્કાર તો સ્વામી રામદેવ જ કરી શકે છે.
આ દિવસે આ કાર્યક્રમમાં દેશના ખાસ સંતો ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શામેલ થવાની સંભાવના છે. અમુક વર્ષ પહેલા પણ રામદેવ સૌ યુવક યુવતીઓને સંન્યાસની દીક્ષા આપી ચુક્યા છે.