પ્રવક્તા વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને જનતા પસંદ કરતી નથી.પાર્ટીના અઘોષિત રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતની ટીકા કરી, લોકોને ભયભીત કરીને,ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે
કોરોનામાં ગુજરાતમાં મોત મુદ્દે આમને-સામને
કોંગ્રેસ-ભાજપ મોતના આંકડા પર સામ-સામે
વાઘાણીએ રાહુલ ગાંધીના આરોપ ફગાવ્યા
ગાંધીનગરમાં બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. વાઇબ્રન્ટ ગુજરાત, ખેડૂતોને મોબાઇલ, કોરોના મૃતકોને સહાય અને સ્વચ્છ શહેર સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસના આરોપોને ઠંડા કલેજે વખોડી કાઢ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ગુજરાત સરકાર પર સણસણતા આરોપ લગાવ્યા હતા
ગુજરાતમાં 10088 લોકો અવસાન પામ્યાઃ વાઘાણી
કોંગ્રેસ પર પ્રહાર કરતા વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને જનતા પસંદ કરતી નથી. કોંગ્રેસના અઘોષિત રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતની ટીકા કરી છે. લોકોને ભયભીત કરવા, ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસનો લોકોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરતી હોય છે. ગુજરાતમાં 10088 લોકો અવસાન પામ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યમાં આંકડા ચેક કરે. જેમાં મુખ્યત્વે કોરોનામાં મૃત્યુ સહાયની કામગીરીની ચર્ચા થશે.
ગુજરાતમાં ત્રણ લાખ નાગરિકોના મોત; રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આ વીડિયોમાં એવો દાવો કર્યો છે કે, ‘ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત સરકારે સત્તાવાર 10 હજારના જ મોત થયા હોવાનું જાહેર કર્યું છે. અમે કોંગ્રેસના કાર્યકરોને ઘેર-ઘેર મોકલીને માહિતી મેળવી છે.’
कांग्रेस पार्टी की दो माँग हैं-
1. कोविड मृतकों के सही आँकड़े बताए जायें।
2. अपने प्रियजनों को कोविड में खो चुके परिवारों को चार लाख हरजाना दिया जाए।
ટ્વિટ કરાતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ‘કોંગ્રેસ પાર્ટીની બે માંગ છે. ગુજરાત સરકાર કોવિડ મૃતકોના સાચા આંકડા જાહેર કરે અને જેણે પોતાના પ્રિયજનને ગુમાવ્યા છે તેવાં પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપે. આ સાથે વીડિયોમાં તેમણે ગુજરાત મોડલ પર પણ સવાલ ઉઠાવ્યાં છે.’ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આફતના સમયે પીડિતોને રાજ્ય સરકારની કોઈ જ મદદ ન મળી. કોરોનામાં અનેક લોકોને યોગ્ય આરોગ્ય સુવિધા ન મળી.’