ભારત અને ફ્રાંસે રક્ષા ક્ષેત્રે એક બીજાને મદદ કરવા માટે સાથે પગલા ભર્યા છે. ફ્રાંસે રાફેલ લડાકુ વિમાનો અને પૈંથર હેલિકોપ્ટર પર ભારતને મોટી ઓફર આપી છે. હવે ફ્રાંસના પૈંથર મીડિયમ યૂટિલિટી હેલીકોપ્ટરને 100 ટકા ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે. આ ઉપરાંત રાફેલ ફાઈટર જેટની એસેમ્બલી લાઈન 70 ટકા સુધી ભારતમાં જ શિફ્ટ કરવામાં આવશે. આ સાથે ભારતમાં મેક ઈન ઈન્ડિયા અભિયાનને આગળ વધારવામાં મદદ મળશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યાનુંસાર બન્ને દેશોમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાની વાતચીત થઈ છે.
નૌસેના મધ્યમ રેન્જના હેલિકોપ્ટર ખરીદવાની શોધમાં
ભારત ફ્રાન્સથી વધારે રાફેલ જેટ ખરીદી શકે છે
અજીત ડોભાલ આ વાતચીત દરમિયાન હાજર હતા
ભારત ફ્રાન્સથી વધારે રાફેલ જેટ ખરીદી શકે છે
ઉલ્લેખનીય છે કે ભારત અને ફ્રાંસની વચ્ચે વાર્ષિક રણનીતિક સંવાદને લઈને ગત અઠવાડિયે ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોના રાજનીતિક મામલાના સલાહકાર ઈમૈનુઅલ બોન દિલ્હીમાં હતા. આ દરમિયાન બન્ને દેશોની વચ્ચે રક્ષા સહયોગ પર વાતચીત થઈ. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યાનુંસાર ભારત ફ્રાન્સથી વધારે રાફેલ જેટ ખરીદી શકે છે. હકિકતમાં ભારતમાં આ ઉપરાંત એસેમ્બલ કરવાની કિંમતો ઘણી ઓછી થઈ જશે.
નૌસેનાને જરુર છે
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેના મધ્યમ રેન્જના હેલિકોપ્ટર ખરીદવાની શોધમાં છે. એરબસ AS565 MBeનો ઉપયોગ કોઈ પણ વાતાવરણમાં કરી શકાય છે. આ મલ્ટી રોલ મીડિયમ હેલીકોપ્ટર છે. જેમાં શિપના ડેક, ઓફશોર લોકેશન અને લેન્ડ બેસ્ડ સાઈટ્સને ઓપરેશન માટે બનાવવામાં આવ્યા છે.
ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર પણ કરી ચર્ચા
દક્ષિણ બ્લોકના સૂત્રોના જણાવ્યાનુંસાર આ સપ્તાહમાં ભારત- ફ્રાન્સ રણનીતિક વાર્તામાં ન્યૂક્લિયર પાવર કોરપોરેશન ઓફ ઈન્ડિયાના 9900 મેગાવોટની જૈતાપુર પરમાણુ ઉર્ઝા સંયંત્રને લઈને વાતચીત થઈ. સૂત્રોના જણાવ્યાનુંસાર ભારત, ફ્રાન્સના 6 એરબસ 330 મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેંકરોને લીઝ પર આપવાની વાતચીત કરી રહ્યા છે.
અનેક બીજા મુદ્દા પર વાતચીત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ વાતચીત દરમિયાન હાજર હતા. વિદેશ મંત્રાલયે આ નિવેદનમાં કહ્યું છે કે બન્ને પક્ષોને આતંકવાદને પહોંચી વળવા સાઈબર સુરક્ષા, રક્ષા સહયોગ, સમુદ્રી સુરક્ષા, ક્ષેત્રીય તથા વૈશ્વિક મામલા અને હિંદ પ્રશાંત વિસ્તારમાં સહયોગ સહિત વિભિન્ન મામલાઓ પર વાર્તા કરી છે. મંત્રાલયે કહ્યું કે બન્ને પક્ષોએ ભારત અને ફ્રાન્સની વચ્ચે રણનીતિક ભાગીદારીને ઉચ્ચ પ્રાથમિકતા આપવાની વાતને વાગોળી અને બન્ને દેશોની વચ્ચે વિચારોના મેળને રેખાંકિત કર્યા છે.