દિલ્હી: લાલ કિલ્લા પરથી વડાપ્રધાન વર્ષમાં એક જ વખત 15 ઓગસ્ટે તિરંગો ફરકાવતા હોય છે પણ નરેન્દ્ર મોદી આ પરંપરાનો ભંગ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી 21 ઓક્ટોબરેમ તિરંગો ફરકાવશે અને 15 ઓગસ્ટ સીવાય લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારા તે પહેલા પીએમ બનશે. જેનું કારણ તેમણે પોતે જ આપ્યુ છે.
તેમણે કહ્યુ છે કે સુભાષચંદ્ર બોસની આઝાદ હિંદ સરકારની 75મી જયંતિની ઉજવણી નિમિત્તે 21 ઓક્ટોબરે લાલ કિલ્લામાં યોજનારા ધ્વજ વંદન સમારોહમાં તે સામેલ હશે. મોદીએ ભાજપના કાર્યકરો સાથેના વિડીયો સંવાદમાં આ વાત કરી હતી.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે જે હસ્તીઓને કોંગ્રેસે નજરઅંદાજ કરી છે તેમના યોગદાનની ઉજવણી સરકાર કરશે. મોદીજીએ કહ્યું છે કે સુભાષ ચંદ્ર બોજનાં નેતૃત્વ હેઠળ આઝાદ હિંદ સરકારની 75 મી જયંતીની ઉજવણી પર 21 ઑક્ટોબરે લાલ કિલ્લામાં યોજાયેલા ઝંડારોહણ સમારંભમાં હાજર રહેશે.
બીજેપીના કાર્યકર્તાઓ સાથે એક વિડિઓ સંવાદ દરમિયાન મોદીએ આ વાત કરી. સરદાર પટેલની પ્રતિમાને લઈને જે કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી તેમને પણ પી.એમ. મોદીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષ હકીકતમાં પટેલનનું અપમાન કરે છે કારણ કે દેશના પહેલા ગૃહમંત્રીને લઇને હંમેશાં તેને ખરાબ ભાવના છે.
આ પ્રોજેક્ટને મેડ ઇન ચાઇના કહેવામાં આવેલી ટિપ્પણી પર વિપક્ષી પાર્ટી પર ઈશારો કરતાં મોદીએ કહ્યું કે દેશ જાણે છે કે કોંગ્રેસનાં મનમાં પટેલને લઈને અત્યંત અમાનુષી છે.