હિંદુ ધર્મમાં દરેક તહેવારનું અનોખું મહત્વ છે. શાસ્ત્રોમાં દેવતાઓની સાથે સાથે પશુઓની પણ પૂજા થાય છે. જેમકે સાપને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમને પૂજનીય માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગદેવતાની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે.
માન્યતા છે કે શ્રાવણ મહિનામાં નાગની પૂજા કરવાથી નાગદેવતા પ્રસન્ન થાય છે અને નાગદંશનો ભય રહેતો નથી. આ દિવસે કેટલાક ખાસ મંત્રનો જાપ કરવો જોઈએ. જેનાથી તમારી પૂજા પ્રભાવશાળી બને છે.