ગ્રહોના રાજા અને મહત્વના દેવ એવા સૂર્યદેવ 15મેના રોજ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યા છે. 15મેથી 30 દિવસ સુધી તેઓ મેષ રાશિ છોડીને અન્ય રાશિમાં કરશે પ્રવેશ.
સૂર્યનું થશે રાશિ પરિવર્તન
વૃષભ રાશિમાં જશે સૂર્ય
15મેથી 30 દિવસ સુધી સૂર્ય વૃષભ રાશિમાં
સૂર્યના રાશિ પરિવર્તનની તમામ રાશિઓ પર મોટી અસર પડે છે. તેથી જ જ્યોતિષમાં તેને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. 15 મેના રોજ સૂર્ય મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના વૃષભ રાશિમાં પ્રવેશને વૃષભ સંક્રાંતિ કહેવાય છે. આ પછી સૂર્ય આગામી 30 દિવસ સુધી વૃષભ રાશિમાં રહેશે. ત્યારે આવો જાણીએ કઈ રાશિ માટે આ સૂર્યનું સંક્રમણ ખૂબ જ શુભ સાબિત થશે.
વૃષભ
સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તેની સીધી અસર આ રાશિના લોકો પર ખૂબ જ પડશે. સૂર્ય સંક્રમણ આ રાશિના જાતકોને ઘણો ફાયદો કરાવશે. નોકરી કરતા લોકોને તેમના કરિયરમાં સફળતા મળશે. તેમને પદ-પ્રતિષ્ઠા મળશે. પૈસાથી ફાયદો થશે. સાથે જ વેપારીઓના નફામાં પણ વધારો થશે. એકંદરે આ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે.
કર્ક
સૂર્યનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થશે. તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમને આર્થિક પ્રગતિ મળી શકે છે. વેપારમાં ઘણો ફાયદો થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સારો સમય છે. સફળતામાં વધારો થશે.
સિંહ
સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ સિંહ રાશિના લોકોને લાભ આપશે. તેઓ તેમની કારકિર્દીમાં મોટી પ્રગતિ કરશે. આવકમાં વધારો થશે. માન-સન્માન વધશે. તમને પિતા તરફથી કોઈ મોટી મદદ મળી શકે છે. વેપાર કરનારાઓને ફાયદો થશે.
કન્યા
સૂર્યનું સંક્રમણ કન્યા રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. તેમના જીવનમાં સારા દિવસો આવશે. કાર્યમાં સફળતા મળશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. એવું કહી શકાય કે કામ અને પૈસાના મામલે સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે. હવે તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. બધા અટકેલા કામો એક પછી એક થવા લાગશે.
સૂર્યદેવની પૂજા માટે રવિવાર શુભ
સૂર્યદેવને બ્રહ્માંડનો આત્મા કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી વ્યક્તિને સફળતા મળે છે. ત્યારે રવિવાર કરવાથી પણ તમને નોકરી અને ધંધામાં સફળતા મળશે. કારણ કે અઠવાડિયાનો રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે. લોકો વિવિધ રીતે ભગવાન સૂર્યની પૂજા કરે છે. કેટલાક લોકો જળ અર્પણ કરીને સૂર્યની પૂજા કરે છે તો કેટલાક રવિવારે ઉપવાસ કરીને તેની પૂજા કરે છે