AAP નેતા મનીષ સીસોદીયા ગુજરાત શાળાની મુલાકાત બાદ ભાજપના સ્થાનિક સાંસદો દિલ્હીની કેટલીક શાળાઓની મુલાકાત કરી ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે.
સ્કૂલો અંગે AAP અને ભાજપ વચ્ચે શરૂ થયું વોર
AAP નેતા મનીષ સીસોદીયા ગુજરાત શાળાની મુલાકાત લધી
ભાજપનાં નેતાઓએ દિલ્લીમાં શાળાની વાસ્તવિકતાનો વીડિઓ કર્યો શેર
પીવાના પાણી, ઓરડાની ઘટ હોવાનો કર્યો ભાજપનાં સાંસદો દાવો
દિલ્હી અને ગુજરાતના શિક્ષણ મુદ્દે AAP અને BJP વચ્ચે રાજકારણ ગરમાયું છે. આજે મનીષ સીસોદીયા ગુજરાત શાળાની મુલાકાત લધી તો બીજી તરફ ભાજપનાં સ્થાનિક સાંસદોએ દિલ્લીમાં કેટલી શાળાની કરી મુલાકાત કરીને ચોંકાવનારા દાવો કર્યો છે.
સ્કૂલો અંગે AAP અને ભાજપ વચ્ચે શરૂ થયું વોર
છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મુદ્દે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલા હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી. બીજી તરફ દિલ્હીમાં ભાજપના સ્થાનિક સાંસદો દિલ્હીની કેટલી શાળાઓની મુલાકાત કરી હતી. જેમાં સાંસદોએ જણાવ્યું હતું કે, દિલ્હીની કેટલીક શાળાઓની મુલાકાત કરીને વાસ્તવિક્તાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ભાજપના સાંસદો દ્વારા દાવો કરાયો હતો કે, દિલ્હીના કેટલીક શાળાઓમાં હજી પણ પીવાના પાણી, ઓરડાની ઘટ છે.
દિલ્લીના શિક્ષણમંત્રીએ આપેલા ચેલેન્જ બાદ સોશિયલ મીડિયામાં ભાજપ અને AAP વચ્ચે વાકયુદ્ધ શરૂ થવા પામ્યું હતું. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના સમર્થનમાં સોશિયલ મીડિયામાં શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓએ 'મારી શાળા મારું ગૌરવ' નામથી પોસ્ટ શેર કરી હતી. આ સાથે પદાધિકારીઓ સારી શાળાઓની તસ્વીરો ટ્વીટર પર પણ પોસ્ટ કરી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં ખૂબ ખરાબ છેઃ સિસોદિયા
દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ જીતુ વાઘાણીના વિસ્તારની સ્કૂલ નંબર 62 હારદાનગર સ્કૂલની મુલાકાત લીધી હતી. જે બાદ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું આજે શાળાની વ્યવસ્થા જોવા આવ્યો છું. શિક્ષણમંત્રીના વિધાનસભા વિસ્તારની શાળાની હાલત જ દયનીય છે. તૂટેલી દીવાલો તથા મધ્યાહન ભોજનમાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી. વધુમાં જણાવ્યું કે વર્ગખંડમાં બેસવા માટેની પણ વ્યવસ્થા નથી, વિદ્યાર્થીઓ તૂટેલી દિવાલવાળા રૂમમાં અભ્યાસ કરી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે તેમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું. સાથે જ ઉમેર્યુ હતું કે દેશમાં ધર્મ જ્ઞાતિ પર રાજનીતિ ના થવી જોઈએ.
જાણો શું હતો સમગ્ર મામલો ?
શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.