જન્માષ્ટમીના પવિત્ર તહેવાર આજે ચાલુ થઈ ચૂક્યો છે. દિવસોથી ભક્તો આ તહેવારની ઉજવણીમાં જોડાયા હતા. આજે યાત્રાધામ ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં જન્મોત્સવ ને ઉજવવા માટે પહેંચી ચૂક્યા છે. ભગવાનનો ભવ્ય જન્મોત્સવ ઉજવવા માટે મંદિર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
કાન્હાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં પહોંચી રહ્યા છે. ભગવાન કૃષ્ણની 'કર્મભૂમિ' દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. શનિવારે રાતથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું મંદિરમાં આગમન થયું. ગુજરાતમાં દ્વારકા ઉપરાંત ડાકોર, શામળાજી જેવા પૌરાણિક મહત્વ ધરાવતા તીર્થધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે નાથની મંગલા આરતી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરોમાં વહેલી સવારથી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી', 'હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી'ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.
મંગળા આરતી એટલે ભગવાન રણછોડનો સાક્ષાત્કાર. જ્યારે ડાકોરમાં ભક્ત બોડાણા રણછોડજીને ડાકોર લાવ્યા અને દ્વારકાના ગુગળી બ્રહ્માન અને રાજાએ ભક્ત બોડાણાને મોતને ઘાટ ઉતર્યા. સતી ગંગાબાઈની સવા વાલની વારીની તોલે તોલાય ત્યારે ગુગળી બ્રહ્માનની આજીજી બાદ ભગવાને સવારે ડાકોર અને સાંજે દ્વારકા રહેવાનું વચન આપેલું ત્યારથી ડાકોર મંગળા આરતીનું વિશેષ મહત્વ છે. મંગળા આરતીમાં સોનાની આરતીમાં છ રૂ ની દિવેટ સાથે કપૂર સાથે આરતી કરવામાં આવે છે. ભગવાનને પંચામૃત અને અભ્યંગ સ્નાન કરાવામાં આવે છે. નવા વસ્ત્રોનો અને વિશેષ રત્નોનો શણગાર કરવામાં આવે છે. બાકીની આરતી સામાન્ય આરતીની જેમ જ ઉતારવામાં આવે છે. જેમાં રાજભોગને મહત્વ અપાય છે. આરતીમાં માત્ર દીવેટોથી આરતી કરવામાં આવે છે. સોનાની આરતી સાતમથી દસમ સુધી કરવામાં આવે છે. ડાકોરના ઠાકોર રણછોડજીને વહેલી સવરે ૬ -૪૫ વાગે મંગળા આરતી, ૯-૩૦ શણગાર આરતી, ૧૧-૩૦ વાગે રાજભોગ આરતી સાંજે 5 વાગે ઉત્થાપન આરતી અને ૬-૩૦ વાગે શયન આરતી કરવામાં આવશે. જે બાદ આજે ભગવાનના જન્મ બાદ કપૂર આરતી કરવામાં આવશે.
આજે રોહિણી નક્ષત્રમાં રાત્રીના બાર કલાકે ભગવાન રણછોડને કંકુ તિલક કરી જન્મોત્સવના ઉત્સવની શરૂઆત થશે. જેમાં ભગવાનને જન્મ બાદ વિશેષ પંચામૃત સ્નાન કરાવવમાં આવશે. પછી દુર્લભ રત્નોથી સેંકડો વર્ષો પહેલા બનાવેલા તે સમયના સવા લાખની કિંમતના અને આજના ૧૩ કરોડથી વધુની કિંમતનો સવા લાખના નામે જાણીતો મુગટ ભગવાનના શિરે શોભાવવામાં આવશે. ત્યારપછી ભગવાન રણછોડના બાળ સ્વરૂપ ગોપલ્લાલાજીને સોનાના પારણે ઝુલાવવામાં આવશે. રવિવારે નંદ મહોત્સવ ઉજવાશે. આ ઉત્સવોના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તોનું ડાકોરમાં આગમન શરુ થઇ ગયું છે.