ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુન્દ નરવણેએ એક નિવેદન આપતા કહ્યું હતું કે ચીન સાથેની સમજૂતીમાં ભારતે એક ઇંચ જમીન પણ ગુમાવી નથી.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
પૂર્વી લદાખમાં બંને સેનાઓ વચ્ચે થઈ હતી હિંસા
આર્મી ચીફે કહ્યું- નથી ગુમાવી એક પણ ઇંચ જમીન
આર્મી ચીફે વધુમાં જણાવ્યું હતું કે કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાતચીતના નવમા રાઉન્ડ પછી, અમે તબક્કાવાર રીતે સંઘર્ષ વિસ્તારોમાંથી સૈનિકો પરત ખેંચવાની સંમતિ આપી હતી. મહત્વનું છે કે ચીન સાથેના લદાખ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે 9 રાઉન્ડની વાતચીત થઈ હતી અને સાથે જ રાજકીય રીતે પણ બંને દેશો વચ્ચે વાતચીતોના વિકલ્પ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેના અંતે બંને દેશો વચ્ચે સમજૂતી સધાઈ હતી અને બંને દેશોએ લદાખના વિસ્તાર (ખાસ તો પેગોંગ લેક )થી પોતપોતાનાં સૈનિકોને પરત બોલાવ્યા હતા.
અમે ક્યાંય પણ પોતાનો પ્રદેશ ગુમાવ્યો નથી : સેનાપ્રમુખ
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુના વિસ્તારોમાં સૈન્યના પાછળ ખેંચવા પર આર્મી ચીફ જનરલ એમ. નરવણેએ કહ્યું હતું કે અમે એક ઇંચ પણ જમીન ગુમાવી નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં આર્મી ચીફે કહ્યું હતું કે, અમે ક્યાંય પણ પોતાનો પ્રદેશ ગુમાવ્યો નથી. અમે તે સ્થાન પર છીએ જ્યાં આ બધું શરૂ થવા પહેલા જે હતું, તેવુ જ છે ... એક ઇંચ પણ જમીન નથી ગુમાવી. "
આર્મી ચીફે વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે "કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાતચીતના નવમા રાઉન્ડ પછી, અમે તબક્કાવાર રીતે સંઘર્ષવાળા વિસ્તારોમાંથી સૈનિકો પરત બોલાવવા સંમત થયા છીએ. સૈન્યની પીછેહઠ 10 ફેબ્રુઆરી પછી શરૂ થઈ હતી. પેંગોંગ તળાવની ઉત્તરીય અને દક્ષિણ બાજુઓ અને પર કૈલાસ રેન્જ, વગેરેમાં તે યોજના મુજબ શરૂ થઈ. જવાનો તેમના કાયમી બેઝ પર ટ્રાન્સફર થયા. "
કાશ્મીરના યુવાનો હજુ પણ આતંકવાદી સંગઠનોમાં જોડાય છે : આર્મી ચીફ
અહીં જનરલ નરવણેએ કાશ્મીર વિશે વધુમાં કહ્યું કે, કાશ્મીરમાં તાજેતરમાં કેટલીક આતંકવાદી ઘટનાઓ બની છે. યુવાનો હજુ પણ ખીણમાં આતંકવાદી સંગઠનોમાં જોડાઇ રહ્યા છે. જોકે, આતંકવાદની ઘટનાઓમાં ઘણો સુધારો થયો છે. અમારો પ્રયાસ યુવાનોને ખોટા માર્ગે જતાં અટકાવવાનો છે.