આજે વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમયે દેશને માટે દિવસ-રાત એક કરી દેનારી વાયુસેનાના જવાનોને સલામ કરવી જોઇએ. આ વર્ષે 87મો એરફોર્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે ત્રણેય સેના પ્રમુખોએ નવી દિલ્હીના વોર મેમોરિયલે જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી.
દેશ મનાવી રહ્યો છે 87મો વાયુસેના દિવસ
ગાઝિયાબાદના હિંડન એયરબેસ પર કાર્યક્રમ
દુનિયાને પોતાની તાકાત દેખાડશે વાયુસેના
વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે હિંડન એરબેઝમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. અહીં યોજવામાં આવેલા એર શોમાં સારંગ હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. આ હેલિકોપ્ટરની ખાસિયત છે કે તે 5 મિનિટ સુધી હવામાં ઊભું રહી શકે છે. આ હેલિકોપ્ટરે ડોલ્ફિનની જેમ કરતબ દેખાડ્યા હતા. વાયુસેના દ્વારા શૌર્ય અને પરાક્રમના અનેક કરતબ દેખાડવામાં આવ્યા હતા.
PM મોદીએ પણ આપ્યા અભિનંદન
પીએમ મોદીએ પણ વાયુસેના દિવસના અવસરે અભિનંદન સંદેશ પાઠવ્યો છે. પીએમ મોદીએ આ સમયે પોતના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેઓએ હાલ સુધી કરેલી લડાઈઓ, મુશ્કેલીઓના સમયે મદદ માટે વાયુસેનાને સલામ કરી છે.
Today, on Air Force Day, a proud nation expresses gratitude to our air warriors and their families. The Indian Air Force continues to serve India with utmost dedication and excellence. pic.twitter.com/iRJAIqft11
દિલ્લીમાં નેશનલ વોર મેમોરિયલમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ત્રણેય સેનાના પ્રમુખે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જેમાં સેના પ્રમુખ બિપીન રાવત, ભારતીય વાયુ સેના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયા અને નૌસેના સ્ટાફના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે 87મો એર ફોર્સ દિન છે. ત્યારે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેના ભાગરૂપે ત્રણેય સેનાના પ્રમુખે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૂરવિરોને યાદ કર્યા હતા.
દુનિયાએ જોયો છે વાયુસેનાનો દમ
ઉલ્લેખનીય છે કે 8 ઓક્ટોબર 1932માં ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ. આ દિવસને એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેની પ્રથમ ટુકડીની રચના 1 એપ્રિલ 1933ના રોજ કરવામાં આવી હતી, જેમાં 6 RAF ટ્રેન્ડ અધિકારીઓ અને 19 એરમેન હતા. દુનિયાએ એરફોર્સની તાકાત સતત જોઈ છે, પછી ભલે તે પાકિસ્તાન સાથે યુદ્ધ હોય કે પછી પાકિસ્તાનની એરસ્ટ્રાઈક હોય.
Delhi: Chiefs of three services, Army Chief Bipin Rawat, Indian Air Force Chief, RKS Bhadauria and Chief of the Naval Staff, Admiral Karambir Singh, pay tributes at National War Memorial on #IndianForceDay. pic.twitter.com/kFyKneKvfL
એક તરફ દેશમાં આજે એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આજે એરફોર્સની તાકાતમાં પણ વધારો થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ફ્રાન્સમાં ભારતના પ્રથમ ફાઇટર જેટ રાફેલને પ્રાપ્ત કરશે, આ ઉપરાંત રાજનાથ સિંહ પણ રાફેલ વિમાનમાં ઉડાન ભરશે. રાજનાથ સિંહ રાફેલ વિમાન પ્રાપ્ત કરતા પહેલા શસ્ત્ર પૂજા પણ કરશે.
#AFDay2019 : Promo video on the occasion of 87th Anniversary of Indian Air Force.
વાયુસેના દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ વાયુસેના ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર પોતાની શક્તિ બતાવશે. આ વખતે પ્રથમ વખત ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પ્રોગ્રામમાં પોતાની શક્તિ બતાવશે. આ કાર્યક્રમમાં 19 લડાકુ વિમાન, 7 પરિવહન વિમાન, 20 હેલિકોપ્ટર સહિત કુલ 54 વિમાન ભાગ લેશે.
વાયુસેનાને સલામ કરવાનો દિવસ
આજે એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમયે એરફોર્સના જવાનોને સલામ કરવાનો દિવસ છે કે જેઓ દેશ માટે રાત દિવસ એક કરે છે. આ વર્ષે 87 મો એરફોર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે, ત્રણેય સૈન્ય વડાઓએ નવી દિલ્હીના યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.