મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને પુરતી બેઠકો નથી મળી. જેના કારણે શિવસેનાએ 50-50નો ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મુક્યો છે. જેમાં તેઓએ અઢી -અઢી વર્ષ માટે બન્ને પાર્ટીના સીએમ બનવાની માંગ કરી છે. જેની પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે જણાવ્યું છે કે ફડણવીસ ખોટુ બોલે છે. અમે ગઠબંધન તોડવાનાં નથી.
શિવસેનાએ આડકતરી રીતે ગઠબંધન તોડવાની વાત કર્યા બાદ વાત ફેરવી તોડી
શિવસેનાએ કહ્યું 50-50ની ફોર્મ્યુલા પર ફડણવીસ ખોટું બોલે છે
મહારાષ્ટ્રનાં રાજકારણમાં નિર્ણય માટે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ પર નજર મંડાઈ છે
ફડણવીસે કહ્યું અમે 50-50ની ફોર્મ્યુલા પર શિવસેના સાથે કોઈ વાત નથી થઈ
મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર બનાવવા માટે શિવસેનાં શરતો સાથે સમર્થન આપવાની તૈયારી બતાવી છે. તેમની શરતોને લઈને રાજકારણ ગરમાયું છે. દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે એ વાતની ખાતરી આપી છે કે શિવસેના સાથે મુખ્યમંત્રી પદને લઈને કોઈ સમજૂતી કરવા બાબતે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો. તેમજ રાજ્યમાં સરકારનાં સંગઠનને લઈને પણ કોઈ નિર્ણય નથી લેવાયો. ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે ગઠબંધનને લઈને શિવસેના તરફથી પણ કોઈ માંગણી કરવામાં આવી નથી.
ભાજપ સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે શિવસેનાના ધારાસભ્યો અમારા સંપર્કમાં
મહારાષ્ટ્રમાં CMને લઈને ખેંચતાણ યથાવત છે. દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું કે 50-50 ફોર્મ્યુલા પર કોઈ વાતચીત નહી. આગામી 5 વર્ષ હું જ CM બનીશ. સામના બંને પક્ષોનો માહોલ બગાડી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં જ સરકાર બનશે. ફડણવીસે કહ્યું કે 10 વિજેતા ઉમેદવારોએ અમને સમર્થન આપ્યું છે. ત્યારે આ વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે અમે વિપક્ષમાં જ બેસીશું અમે શિવસેના સાથે ગઠબંધન નહીં કરીએ. મહારાષ્ટ્રમાં સીએમ પદને લઇ ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે શિવસેનાના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
રાઉતે કહ્યું ફડણવીસ ખોટું બોલે છે
ત્યારે બીજી તરફ શિવસેનાનાં સંજય રાઉતે મંગળવારે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી. જેનાં પિતા જેલમાં હોય. અહીં અમે માત્ર ધર્મ અને સત્યની રાજનીતી કરીએ છીએ. શરદ પવારે ભાજપ અને કોંગ્રેસની વિરુદ્ધ માહોલ બનાવ્યો છે તે પણ ભાજપ સાથે નહીં જાય. રાઉતે ભાજપનો સાથ છોડવાની ધમકી આપવાનાં અંદાજમાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે બીજો વિકલ્પ છે, પરંતુ અમે તેમ નહી કરીએ. અમે સત્તાનાં ભૂખ્યાં નથી. તેમજ રાઉતે કહ્યું હતું કે ફડણવીસ 50-50ની ફોર્મ્યુલા પર ખોટું બોલે છે. 50-50 ની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. અમે ગઠબંધન નહી તોડીએ.