ગુજરાતમાં યોજાઈ ગયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પર ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. જે દરમિયાન જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તા ચલાવવામાં સક્ષમ નથી. કોંગ્રેસમાં માત્ર કકળાટ છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ગ્રામીણ ક્ષેત્રની વાતો કરે છે પણ કોંગ્રેસ ખરી ઉતરી શકી નથી અને જનતાનો રોષ કોંગ્રેસ માપી શકયા નથી. જનતાનો રોષ કોંગ્રેસ સામે દેખાય છે. કોંગ્રેસ ભાંગી ગઈ અને થાકી ગઈ છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ સેવા નથી કરી શકી.
આ ઉપરાંત જીતુ વાઘાણીએ જણાવ્યું કે મહિસાગરમાં બક્ષીપંચની સેવા ન પણ કોંગ્રેસ કરી શકી. મોરબીમાં કોંગ્રેસના બળવાખોર સભ્ય ચૂંટાયા. પાટણમાં સત્તા માટે કોંગ્રેસે ઝઘડાવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ પોતાના સભ્યોને ન સાચવી શકી.
આ ઉપરાંત પણ જીતુ વાઘાણીએ જણાવ્યું કે અનેક જિ. પં.માં કોંગ્રેસના સભ્યોએ મેન્ડેટ વિરોધી મત આપ્યા છે. આમ કોંગ્રેસનું રાજ્યનું નેતૃત્વ સંપૂર્ણ ફેઈલ ગયું છે. કોંગ્રેસે સત્તાના મદમાં લોકો પર કાળો કહેર વર્તાવ્યો છે. આવનારા દિવસોમાં કોંગ્રેસનું પતન નિશ્ચિત છે.