સુરતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયા બાદ ડુમસ બીચ ખુલ્લો મુકાયો અને બીચ ખુલતા જ સહેલાણીઓનો જોવા મળ્યો ધસારો, ડુમસ બીચ પર મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર નજરે ચડ્યા
સુરતમાં કોરોનાના કેસોમાં ઘટાડો
કોરોનાના કેસો ઘટતા ડુમસ બીચ ખુલ્લો મુકાયો
બીચ ખુલતા જ સહેલાણીઓનો જોવા મળ્યો ધસારો
સુરતમાં ડુમસબીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો છે. કોરોનાના કેસ ઘટતા તંત્રએ બીચ ખોલવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોવિડ ગાઈડલાઈનના પાલનની સૂચના છતાં નિયમો તૂટ્યા હતા. લોકોના મોં પર માસ્ક જોવા મળ્યા નહોતા. અને સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, સવારે 7 થી સાંજના 7 સુધી ડુમસબીચ ખુલ્લો રાખવાની સૂચના જાહેર કરાઈ છે.
તો આ તરફ કોરોનાના કારણે જૂનાગઢના ભેંસાણના પરબધામમાં અષાઢી બીજનો મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આજથી 13 તારીખ સુધી પરબધામના દર્શન અને મંદિરમાં પ્રવેશ બંધ રહેશે. કોરોના મહામારીને લઇને મહંત કરસનદાસ બાપુએ નિર્ણય કર્યો છે. અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે પૂજા વિધિ અને ધજા ચડાવાશે. રાબેતા મુજબ ધાર્મિક વિધિ કરીને અષાઢી બીજ ઉજવાશે. સામાન્ય જનતા માટે આજથી આજથી 13 તારીખ સુધી મંદિરમાં પ્રવેશ બંધ.